________________
૪૮
-----
૨ - આતમ જાગો !
-
328.
બધાને માટે કર્યું ! પણ પોતાને માટે, આત્માને માટે શું કર્યું? માટે જ પહેલું પદ છે ફ્રિઝ - જાગો ! બોધ પામો ! આ જ સૂયગડાંગના બીજા અધ્યયનમાં કહ્યું કે -
___ 'संबुजह किं न बुज्झइ संबोहि खलु पेञ्च दुल्लहा' ‘જાગ ! કેમ જાગતો નથી ? જન્માંતરમાં જાગવું દુર્લભ છે.' બોધ પામ ! કેમ બોધ પામતો નથી ? જન્માંતરમાં બોધ પામવો દુર્લભ છે.” સમકિત પામ ! કેમ સમકિત પામતો નથી ?
જન્માંતરમાં સમકિત પામવું દુર્લભ છે.' આ સંબોધિ શબ્દનો અર્થ જાગવું થાય, બોધ પામવો થાય, સમકિત પામવું એવો થાય અને ધર્મ પામવો એવો પણ થાય છે. આપદોનો અર્થ દરેક રીતે વિચારવા જેવો છે.
આ શબ્દોમાં બોધ પામવાની વાત કહી છે. એ સાંભળી કોઈ કહે કે રહેવા દો ને. આવતા ભવમાં પામી જઈશ. તો એને જણાવ્યું કે - જન્માંતરમાં એની પ્રાપ્તિ તો બહુ દુર્લભ છે. અહીં તને મળ્યું છે છતાં તું કરતો નથી, તો આગળ જઈને શું કરવાનો હતો ? માટે જ પૂજ્ય ઉપાધ્યાયજી ભગવંતે ૩૫૦ ગાથાના સ્તવનની પહેલી ઢાળમાં કહ્યું કે,
“પામી બોધ ન પાળે મૂરખ, માંગે બોધ વિચાલે;
લહિએ તેહ કહો કુણ મૂલે, બોલ્યું ઉપદેશમાળે જી.’ અહીં જે બોધ એટલે કે ધર્મશાસન મળ્યું છે, તે આરાધતો નથી અને ભવિષ્યમાં ધર્મશાસન મળે તેવી માંગણી કરે છે, એ મૂર્ખ છે. આગળ ધર્મશાસન મળે એ માટેની કઈ મૂડી એની પાસે છે ? – એમ પ્રશ્ન કર્યો છે. આ વાત પણ તેઓશ્રી પોતાના ઘરની કહેતા નથી. પ્રભુશ્રી મહાવીર મહારાજાના સ્વહસ્તે દીક્ષિત શ્રી ધર્મદાસ ગણીએ ઉપદેશમાળા ગ્રંથમાં આ વાત કહેલી છે, એમ સાક્ષીપૂર્વક કહે છે.
જે ગાથાનો આદ્ય ભાગ મેં તમને સંભળાવ્યો હતો તેમાં આગળ જઈને કહ્યું છે કે, “તેવા આત્માઓ માટે ભવિષ્યમાં-જન્માંતરમાં બોધિ દુર્લભ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org