________________
૩ : બંધન, બંધનરૂપ લાગે ત્યારે, છોડવાં અઘરાં નથી લાગતાં – 16 —— 327 નજર આત્મા ઉપર ક્યારે ય ન મંડાઈ. ચોવીશ કલાક શરીરની જ ચિંતા ! નિરંતર દેહાધ્યાસ ! ચોવીશ કલાક શરીરના સુખ-દુઃખની જ ચિંતા અને સુખદુઃખની જ અનુભૂતિ ! દુઃખ ટાળવાનો અને સુખ મેળવવાનો જ પ્રયત્ન ! તે સિવાય આપણે કર્યું શું ? જાતને પૂછો !
૪૭
ધર્મક્રિયા તારક, પણ જેમતેમ કરો તો નહિં :
સભા : અત્યારે અમે જે તપ-ક્રિયા કરીએ છીએ શું તે વ્યર્થ છે ? તો ચારિત્રની પણ જરૂર ક્યાં રહી ?
હું જો કહેતો હોઉં કે, ક્રિયાઓ નિરર્થક છે, તપ વ્યર્થ છે, ચારિત્ર તમે નહિ લેતા તો તમારો પ્રશ્ન બરાબર છે, પણ હું તો તમને એ બધું જ કરવાનું કહું છું. પરંતુ મારી અને તમારી વાતમાં ફરક એટલો જ છે કે તમે એમ માની બેઠા છો કે ‘આ બધું વગર સમજે ગમે તેમ, ગમે તે ભાવે, ગમે તે રીતે કરીએ તો પણ ચાલે’ અને હું એમ કહું છું કે ‘આ બધું સમજીને કરો !' આત્મહિત સાધવા માટે કરો ! આ બધું કરેલું સાર્થક બને, એનાથી આત્મહિત સધાય તે રીતે કરો !'
તમે તપ-ક્રિયા કરો પણ તે સાર્થક ત્યારે જ થશે કે જ્યારે આત્મા ઉપર તમારી નજર મંડાશે અને આ તપસાધના, ધર્મક્રિયા દ્વારા આત્મહિત સાધવાનો ભાવ પ્રગટશે.
આ ક્રિયાનો, તપનો, સાધનાનો માર્ગ તીર્થંકર ભગવંતોએ બતાવેલો છે. એટલે એની ઉપેક્ષા, અનાદર કે અપલાપ કરવાનો વિચાર કરવો એ પણ આત્મઘાતક છે. જેમ આ બધી ક્રિયાનો અપલાપ કરવો એ આત્મઘાતક છે, તેમ આ ક્રિયાઓ ગમે તે રીતે, ગમે તેવા ભાવો અને ગમે તે લક્ષ્યથી કરવી એ પણ ઘાતક છે. જે કોઈ તેને બરાબર સમજે નહિ અને કોઈ સુયોગ્ય રીતે સમજાવે તે છતાં સમજવા ઇચ્છે નહિ તે આ ક્રિયા, તપ, સાધના કરીને પણ બંધન વધારે છે.
જે આત્માને નથી ઓળખતો, તેણે જે પણ ક્રિયાઓ કરી, તે બધી કીર્તિકામના માટે કે, વર્તમાન જીવનનાં દુન્યવી દુઃખોને ટાળવા કે દુન્યવી સુખો મેળવવા માટે કરી. એમાં જો દૃષ્ટિ થોડી આગળ વધી તો પરલોકનાં દુન્યવી દુઃખોને ટાળવા કે દુન્યવી સુખોને મેળવવા માટે કરી. આમાંનું બધું જ કર્યું !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org