________________
૪૬
–
૨ - આતમ જાગો !
326
એક-એક ભયંકર દુઃખોનો વિચાર કરીએ; તો આટઆટલાં દુઃખોની વચ્ચે અટવાવવા છતાં; એ દુ:ખોથી રિબાવા છતાં; અનાદિ મોહના બંધનોને કારણે આજ સુધીમાં ક્યારેય આપણે આપણા આત્મસ્વરૂપને ઓળખ્યું નહિ.
તારક પરમાત્માના સમવસરણમાં ગયા, તેમની વાણી સાંભળી, છતાં આપણે આત્માને ન ઓળખ્યો.
એવું નથી કે, આજ સુધી આપણને સર્વજ્ઞપ્રભુનું ધર્મ શાસન નથી મળ્યું. એવું નથી કે આજ સુધી આપણે સર્વજ્ઞશાસનની ધર્મ ક્રિયાઓ નથી કરી. અનંતીવાર ચારિત્ર લીધું, અનંતીવાર આ ક્રિયાઓ પણ કરી, જીંદગીભર વ્રતો પાળ્યાં, જીંદગીભર મહિનાને પારણે મહિનાનો તપ પણ કર્યો. આમ છતાં આપણી નજર ક્યારેય આત્મા ઉપર ન ગઈ. એટલે જ એ પ્રત્યેક ધર્મક્રિયાઓ આપણે એવા ભાવોથી એવી રીતે કરી કે જેને કારણે એ ક્રિયાઓ બંધન તોડવાના બદલે, બંધન ઘટાડવાના બદલે બંધન વધારનારી બની.
આપણે જે તપ કર્યો, જે પણ ત્યાગ કર્યો, જે પણ ચારિત્ર પાળ્યું તે બધું જ સર્વજ્ઞના શાસનનું જ કર્યું પણ તે આત્મહિત માટે ન કર્યું, આત્મિક ઉત્થાન માટે ન કર્યું, પૌદ્ગલિક સુખો માટે કર્યું, વિષય-કષાયની વૃત્તિના સંતર્પણ માટે કર્યું, એટલે કર્મનાં બંધનને તોડનારી ક્રિયા કરીને પણ કર્મનાં બંધનો વધાર્યા, મજબૂત કર્યા. આ દરમ્યાન જે પણ બંધનો વધતાં ગયાં તે બંધનો બંધન જ ન લાગ્યાં. એમાં વિકૃતિનો બોધ ન થયો અને દુ:ખની અનુભૂતિ ન થઈ.
જેને આત્મા નથી ઓળખાતો તેનો તપ કર્મો તોડવાની તાકાત નથી ધરાવતો, તેનું ચારિત્ર કર્મને તોડવાની તાકાત નથી ધરાવતું, તેનું જ્ઞાન એ બંધનોને ઓળખાવવાનો હેતુ નથી બનતું. બંધનો ત્યારે જ ઓળખાય છે, જ્યારે આત્માની ઓળખ થાય છે.
આટલાં વર્ષોથી તમે કાંઈક આરાધના કરતા આવ્યા છો, આટલા વર્ષોથી અમે પણ કાંઈક આરાધના કરતા આવ્યા છીએ. પણ તે શા માટે ? એ વિચારવું બહુ જ જરૂરી છે.
અમે મા-બાપને છોડ્યાં, પત્ની-પરિવારનો ત્યાગ કર્યો. સ્વજન અને સ્નેહીઓને છોડ્યાં, તમે પણ તપ કરીને ખાવા-પીવાનો ત્યાગ કર્યો, શીલ પાળીને, મોજ-મજાનો ત્યાગ કર્યો, દાન કરીને પૈસા-ટકાનો ત્યાગ કર્યો, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org