________________
આતમ ઝંખે છૂટકારો (રાગ : ચંદન સા બદન)
બંધન બંધન, ઝંખે મારું મન, પણ આતમ ઝંખે છૂટકારો, મને દહેશત છે આ ઝગડામાં, થઈ જાય પૂરો આ જન્મારો. બ. ૧ મધુરાં, મીઠાં ને મનગમતાં પણ બંધન અંતે બંધન છે, લઈ જાય જનમના ચકરાવે, એવું દુઃખદાયી આલંબન છે, હું લાખ મનાવું મનડાને, પણ એક જ એનો ઊંહકારો. બ. ૨ અકળાયેલો આતમ કે' છે, મને મુક્ત ભૂમિમાં ભમવા દો, ના રાગ રહે, ના દ્વેષ રહે, એવી કક્ષામાં મને રમવા દો, મિત્રાચારી આ તનડાની, બે ચાર ઘડીનો ચમકારો. બ. ૩ વરસો વીત્યાં, વીતે દિવસો, આ બે શક્તિના ઘર્ષણમાં, મને શું મળશે, વિષ કે અમૃત, આ ભવસાગરના મંથનમાં ? ક્યારે પંખી આ પિંજરાનું, કરશે મુક્તિનો ટહુકારો ? બં. ૪
(રચના - શ્રી પ્રવીણભાઈ દેસાઈ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org