________________
૨ : આત્માની અનુભૂતિથી સાધનાનો પ્રારંભ - 15
એ બંધન કર્મનું છે. આ કર્મ આઠ પ્રકારનાં છે. જે આત્માને બાંધવાનું કામ
કરે છે.
૪૧
આ કર્મબંધનનાં મુખ્યત્વે પાંચ કારણો છે. જેમાં પહેલું કા૨ણ મિથ્યાત્વ છે. બીજું કારણ અવિરતિ છે, ત્રીજું કારણ કષાયો છે, ચોથું કારણ પ્રમાદ છે અને પાંચમું કારણ યોગ છે. આ પાંચેયની પરિણતિ જેમ કર્મબંધનું કારણ છે, તેમ તેની વૃત્તિ-પ્રવૃત્તિ પણ કર્મબંધનું કારણ છે. એટલા માટે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ - આ પાંચનું સ્વરૂપ સમજવું જરૂરી છે. જીવનના એક એક વ્યવહારમાં મિથ્યાત્વ ક્યાં અને કઈ રીતે કામ કરે છે, તે જોવું-જાણવું બહુ જ જરૂરી છે.
321
એ જ રીતે અવિરતિ અને કષાયો પણ કઈ રીતે કામ કરે છે, તે જોવું પડશે. પ્રમાદ અને યોગનો પણ કેવો કેવો, ક્યાં ક્યાં પ્રભાવ પડે છે તે જોવું પડશે. એ પછી તેની માત્રા કેટલી છે ? તીવ્રતા કેટલી છે ? તેની અસરો કેવી થશે, તે જાણશો ત્યારે બંધનને જાણ્યું કહેવાશે. બંધનને જાણ્યા પછી તોડવાનું મન થશે, તેમાં પ્રયત્ન થશે. વિઘ્નો આવશે તેને વ્યર્થ કરશો - વટાવશો એટલે સિદ્ધિ થશે. પણ મૂળમાં બંધનોને બંધન તરીકે ઓળખવાં જ અઘરાં છે.
સમ્યગ્દર્શનને પામવાનો પુરુષાર્થ મિથ્યાત્વની હાજરીમાં કરવાનો છે. એકવાર ‘વૃષ્ણિ’ પદ આપણાં જીવનમા આવી જાય તો બોધનો - તે પ્રકાશનો સહારો આપણને મળશે. જેના સહારે આગળનો પુરુષાર્થ સરળ બનશે.
વિશેષ પુરુષાર્થરૂપ અપૂર્વકરણ તો બે વાર જ કરવાનું છે. એક સમ્યગ્દર્શન પામતાં અને બીજું ક્ષપક શ્રેણી માંડતાં ! - બાકી વચ્ચેનું કામ તો તે બહુ સહેલું છે.
જાગૃત બનીને આત્માને અને બંધનને ઓળખ્યા પછી તપ કરવો, ત્યાગ ક૨વો, વ્રતો લેવાં, મહાવ્રતો પાળવાં, એ બધું જ સહેલું છે. જાગવું, જાગીને આત્માને અને બંધનને ઓળખવાં અને બંધનને ઓળખીને તોડવાં એ જ સૌથી અઘરૂં છે. માટે જ અહીં પહેલાં તેને ઓળખવાની અને તોડવાની વાત કરી. આ સંદર્ભમાં જ્ઞાની ભગવંતો હજુ આગળ શું કહેવા માગે છે, તે આપણે ક્રમશઃ જોઈશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org