________________
૩ – બંઘન, બંધનરૂપ લાગે ત્યારે,
'16 છોડવાં અઘણાં નથી લાગdi. -વિ. સં. ૨૦૫૮, શ્રાવણ સુદ-૬-૭, બુધવાર, તા. ૧૪-૮-૦૨, સાચોરી ભવન, પાલીતાણા • ધર્મકિયાથી પણ બંધન વધાર્યા. • સેવા પણ બંધન હોઈ શકે : • ધર્મકિયા તારક, પણ જેમ તેમ કરો તો નહિં. • સંન્યાસીનું બાવલું સુવિચાર : ભક્તો : • આત્માની ઓળખ કઈ રીતે કરવી ? • હું કોણ ? શરીર કે આત્મા? • મોહાધીનને શરીરના રોગોની ચિંતા : • સમ્યગ્દર્શન એટલે જ સુખારંભ :
આત્મભાનવાળાને આત્માના રોગોની ચિંતા : મનુષ્ય દેહ વિના મુક્તિ નહિ અને એ • બંધન તોડ્યું... બાંધ્યું અને તોડ્યું. દેહ પર મમતા હોય ત્યાં સુધી મુક્તિ નહિ ! મહાત્મા આદ્રકુમારની પુરુષાર્થ કથા : આગમનો અર્ક રામવાણીમાં :
વિષય : કલ કરે સો આજ કરો ! આત્માને જાણ્યા વિના આત્માને વળગેલાં બંધનોને જાણવાનું મન ન થાય. વર્ષોથી ધર્મક્રિયા કરનાર વર્ગ પણ આત્માને જાણવાની બાબતે ધરાર ઉપેક્ષા સેવે છે, એથી જ આત્મજ્ઞાન થતું નથી અને એથી જ બંધનો પણ જણાતાં નથી. ક્રિયાયોગ અને જ્ઞાનયોગનું સંતુલન કરી આપી આ પ્રવચનમાં ‘આ જ ભવમાં સાધવાનું સાધી લેવા જેવું છે એ પ્રધાન સૂર રખાયો છે. બંધન જેને બંધન લાગતાં નથી તે મજેથી પાપરૂપ સંસારમાં પડ્યા રહે છે અને એ જ જ્યારે બંધનરૂપ જણાય ત્યારે પળવારમાં સંસારત્યાગ શક્ય બને છે. એ વાત ‘આર્દ્રકુમાર'ના કથાનકની સાથોસાથ પીરસવામાં આવી છે. અંતે : આગમોના સીધા સાદા શબ્દોમાંય કેવાં ઉંડાણ ભર્યા હોય છે, તેની વાત કરવામાં આવી છે.
પ્રવચનનું પ્રતિબિંબ * જેને આત્મા નથી ઓળખાતો તેનો તપ કર્મો તોડવાની તાકાત નથી ધરાવતો, તેનું ચારિત્ર કર્મને તોડવાની તાકાત નથી ધરાવતું, તેનું જ્ઞાન એ બંધનોને
ઓળખાવવાનો હેતુ નથી બનતું. * આત્માનો રોગ, આત્માના રોગ તરીકે ઓળખાય ત્યારે સમજવું કે આત્માને
આત્માનું ભાન થયું. * પરમાત્માની પ્રતિમાનું દર્શન એ આત્મદર્શન માટેનું અનુપમ આલંબન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org