SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ – ૨ : આત્માની અનુભૂતિથી સાધનાનો પ્રારંભ - 15 - 319 છે, તેમને જ્ઞાની ભગવંતો હિંમત આપે છે કે, હવે તો તમને સમ્યગ્દર્શન મળ્યું છે, તમારી ચેતના જાગૃત થઈ છે. બંધનો પણ ઓળખાયાં છે. હવે તો તમારે માત્ર પુરુષાર્થ જ કરવાનો છે. તમે સમજપૂર્વક હવે થોડો પણ જે પુરુષાર્થ કરશો, તેનાથી તમારી વિભાવદશા છૂટશે, સ્વભાવદશા પ્રગટશે. તમે કર્મનાં બંધનોથી મુક્ત થશો અને તમે તમારા સ્વરૂપને પ્રગટ કરી શકશો. જીવ જ્યારે સભાન દશામાં આવે છે અને એને તે રાગ-દ્વેષ, વિષયકષાયની પરિસ્થિતિઓ પરખાય છે, ત્યારે તેને આત્મરોગનું ભાન થયું કહેવાય. ભલે તમને આજે આત્માની સંવેદના ન સમજાય, પણ જો અંતરમાં ચાલતાં રાગ-દ્વેષનાં તોફાનો ઓળખાય અને એની વેદના થાય તો પણ આત્મા જાગ્યો છે એમ સમજવું. મનમાં જ્યારે રાગ-દ્વેષના ભાવો ઉભરાય ત્યારે તેમાં સ્વાભાવિકતા ન અનુભવાય, એ વિચારોમાં વહેતા રહેવું ન ગમે, એ વમળમાંથી બહાર આવવાની ઇચ્છા થાય, વિષયોની લાગણી જન્મે ત્યારે એમાં વિકૃતિનું ભાન થાય, સ્વસ્થતા તરફ ઢળવાનું મન થાય. તેમજ જ્યારે દુન્યવી પદાર્થો તરફ ખેંચાણ થાય ત્યારે તેમાં અસ્વાભાવિક્તા અનુભવાય અને એ દુન્યવી પદાર્થોના ખેંચાણથી છૂટવાનું મન થાય, ત્યારે માનજો કે તમે ભાનમાં આવ્યા. આત્મા જાગશે એટલે રાગ-દ્વેષની ગ્રંથી ઓળખાશે. દુન્યવી અનુકૂળતાઓ ગમવી તે રાગ છે, દુન્યવી પ્રતિકૂળતાઓ ન ગમવી તે દ્વેષ છે. આ રાગ-દ્વેષની તીવ્ર લાગણીને ગ્રંથી કહેવાય છે. રાગ-દ્વેષની તીવ્ર લાગણીઓ હોવા છતાં તેનું ભાન ન થવું, રાગ-દ્વેષની સંવેદનાઓ હોવી-થવી, તે સ્વાભાવિક છે, એમ લાગવું. રાગદ્વેષની સંવેદનામાં સુખનો અનુભવ થવો અને એમાં કશું ખોટું ન લાગવું તે ગ્રંથીની ઓળખનો અભાવ છે. જ્યારે રાગ-દ્વેષની આ સંવેદનાઓ ઓળખાય છે, એ સંવેદનાઓ એ અસ્વાભાવિક પરિસ્થિતિ છે એવું સમજાય છે, અનુભવાય છે ત્યારે ગ્રંથીની ઓળખ થઈ એમ કહેવાય. દુન્યવી અનુકૂળતાઓમાં થતી રાગની સંવેદના અને દુન્યવી પ્રતિકૂળતામાં થતી દ્વેષની સંવેદના જ્યારે પ્રત્યેક પળે ઓળખાય છે, એ અસ્વાભાવિક છે એવું અનુભવાય છે અને એનાથી છૂટીને સ્વાભાવિક સ્વસ્થ ચિત્તવૃતિ તરફ ઢળવાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy