SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ - આતમ જાગો ! પણ કાંઈ ન હતું અને પછી પણ કાંઈ નથી, તેવી વિચારધારામાં ઘણો કાળ આપણે પસાર કર્યો. આજે પણ જે કાંઈ કરીએ છીએ, તે પુદ્ગલ અને આત્મા ભિન્ન છે, તેમ માનીને કરીએ છીએ ખરા ? ૩૮ 318 અનુભૂતિનો ઉપાય : સમ્યગ્દર્શન : સભા: આ બધી વાત જાણવા મળે છે, પણ એની અનુભૂતિ કેવી રીતે થાય ? આ જ બધી વાતોને વાગોળો, ખૂબ વાગોળો. એમાંથી આત્મા ૫૨થી મોહની પક્કડ ઘટશે, એ ઘટશે એટલે સમ્યગ્દર્શન પ્રાપ્ત થશે. સમ્યગ્દર્શન પ્રાપ્ત થશે એટલે આત્મસ્વરૂપની અનુભૂતિ થશે. એ અનુભૂતિ જેમ જેમ ઘેરી થતી જશે તેમ તેમ વિભાવદશાની પણ અનુભૂતિ થશે. પછી તેમાંથી વિભાવને કાઢવા માટેનો અને સ્વભાવને પ્રગટ કરવાનો પ્રયત્ન થશે. દર્દી બેભાન હોય. અવાજ કરતો ન હોય, શાંતિથી પડ્યો હોય ત્યારે સ્નેહીસ્વજનો માને કે ‘શાંતિ છે, વેદના નથી.’ જ્યારે ડૉક્ટર કહે છે કે, ‘કેસ ગંભીર છે. મોતની દિશામાં આગળ વધી રહ્યો છે.’ આથી ડૉ. તે દર્દીને ભાનમાં લાવવા માટે પ્રયત્ન કરે છે. ડૉક્ટરને ખબર છે કે, ભાનમાં આવતાંની સાથે જ દર્દીને વેદનાનો, બળતરાનો, દુઃખાવાનો અનુભવ થવાનો છે, ચીસાચીસ કરી મૂકશે. છતાં ડૉક્ટર એને ભાનમાં લાવવા પ્રયત્ન કરે છે. બેભાન દર્દી જેવો જાગતો થાય કે તરત દર્દની ફરિયાદ કરે એટલે સ્વજનો કહે છે કે, ‘કેસ બગડી રહ્યો છે.' જ્યારે ડૉક્ટર કહે કે ‘ના, કેસ સુધરી રહ્યો છે.’ દર્દીને અત્યાર સુધી ભાન ન હતું. હવે ભાન થયું છે, ‘હું માંદો છું અને મારે હવે સાજા થવું છે.’ એવી જે એનામાં ઇચ્છા પ્રગટી છે, તે સારી નિશાની છે. કેટલાક દર્દીઓ વિશ્વાસ ગુમાવી બેઠા હોય છે. એને લાગે છે કે, ‘હું સાજો થવાનો નથી,’ તેને હિંમત આપીને વિશ્વાસ પેદા કરાવવો પડે છે કે ‘તું બરાબર ઉપચાર કરાવીશ તો જરૂર સારો થઈશ.' એવી જ પરિસ્થિતિ સમ્યગ્દર્શન પ્રગટ્યા પછી થાય છે. સમ્યગ્દર્શન પ્રગટતાં જ આત્મા જાગ્રત થાય છે. એને પોતાના સ્વરૂપનું ભાન થાય છે. સાથોસાથ વર્તમાનની અવિરતિજન્ય અને કષાયજન્ય વિકૃતિનું પણ ભાન થાય છે. અવિરતિ અને કષાયોનું જોર જોઈને તો કેટલાક વધારે સજાગ બનીને પ્રયત્નશીલ બને છે, તો કેટલાક હતાશ થઈ જાય છે. જેઓ હતાશ થાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy