________________
૨ : આત્માની અનુભૂતિથી સાધનાનો પ્રારંભ - 15
ઘણું ન બંધાતું હોય છતાં અનંતકાળ મને અને તમને એ સ્થિતિમાં રાખી શકે તેવા અનુબંધવાળું તો બંધાય છે જ. થોડું ખપાવે ત્યાં બીજું નવું બાંધે. આમ પરંપરા ચાલ્યા જ કરે. કોઈ જ્ઞાની ભગવંતને પૂછીએ કે, ‘આ સ્થિતિમાંથી એ જીવો બહાર ક્યારે નીકળશે ?’ તો જ્ઞાની ભગવંતો કહે કે, ‘કોઈ સંખ્યાત કાળે, કોઈ અસંખ્યાત કાળે અને કોઈ અનંતકાળે.’
૩૭
આવ્યા.
એક દિવસ તમને કે મને, મોઢામાં ડૂચા નાખીને, આંખે પાટા બાંધીને, કાનમાં પૂમડાં ભરાવીને હાથ-પગ કચકચાવી બાંધીને અંધારી રૂમમાં પૂરવામાં આવે તો મારી-તમારી શું હાલત થાય ? આ સ્થિતિમાં કેટલાયને પુરવામાં તેમાં કેટલાયે આત્મહત્યા કરી. કેટલાક ગાંડા બની ગયા. કોઈ પ્રકારનું આશાનું કિરણ ન મળે. માનવ જીવનમાં સર્જાતી આ પરિસ્થિતિ જો આવી દુઃસહ જણાતી હોય તો આના કરતાં કેઈ ગુણી વધારે ખરાબ હાલત એકેન્દ્રિય વગેરે ગતિઓમાં છે. ત્યાં શું થતું હશે ! -એનો વિચાર કરો ! આમ છતાં એવી સ્થિતિ આપણે અનંતકાળ સુધી ભોગવીને આવ્યા છીએ.
317
અત્યાર સુધીમાં આપણને નરકના ભવો પણ મળ્યા. દેવોના ભવો પણ મળ્યા, તિર્યંચના ભવો પણ મળ્યા અને મનુષ્યના ભવો પણ મળ્યા. આ દરેક ભવોમાં આપણે બેભાન જ રહ્યા. એમાં આપણને આપણું-આપણા આત્મસ્વરૂપનું ભાન જ ન થયું. સર્વત્ર પૌલિક દુનિયામાં રાચતા રહ્યા, ગમતાં પુદ્ગલો મળતાં જ એને વળગી પડ્યા, એમાં લપટાયા, એમાં મુંઝાયા અને છેવટે એમાં ફસાયા. પરિણામે કર્મથી બંધાણા, દુર્ગતિઓમાં પટકાણા અને એવું કોઈ સ્થાન બાકી ન રહ્યું કે જ્યાં ન અટવાયા.
નરક અને તિર્યંચમાં તો અથડાયા અને કુટાણા, પણ દેવ અને મનુષ્યમાં પણ એ જ અવદશામાં ફસાયા. ખુદ તા૨ક તીર્થંકર મળ્યા તો તેમને પણ ન સાંભળ્યા, ન માન્યા, એમની પણ ક્રુર મશ્કરીઓ કરી. એમના સિદ્ધાંતોનું ખંડન કર્યું. આત્મા જેવી કોઈ વસ્તુ નથી. પાંચ ભૂતથી જુદો આત્મા સંભવિત નથી. પરલોક નથી, પુણ્ય-પાપ નથી, કર્મનો બંધ કે કર્મથી મુક્તિ સંભવિત નથી. મોક્ષ જેવી કોઈ સ્થિતિ નથી. આ અને આવી કેટલીએ વાતો કરી.
૩૬૩ પાખંડીઓમાંના આપણે પણ એક હતા. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ - આ પાંચ ભૂતમાંથી ચેતના પ્રગટે છે, ચેતના પ્રગટી તે પહેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org