________________
- ૨ - આતમ જાગો !
316
ચલાવી શકે. આમને તો ન દેખાય, ન સંભળાય એટલે માત્ર સ્પર્શથી જ વ્યવહાર થઈ શકે છે. બેને આગળ વાત કરી – “શરૂઆતમાં તો પિતાજી સાવજ ભાંગી પડ્યા હતા. આત્મહત્યાના નિર્ણય સુધી પહોંચ્યા હતા. પરંતુ આત્મહત્યાના માર્ગો પણ આંખ-કાન જવાથી બંધ થયા હતા. એ સ્થિતિમાં હાથમાં આંગળી ફેરવી એમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેમાં ધીમે ધીમે સફળતા મળી. આજે હાથમાં આંગળીથી અક્ષરો લખી એમની સાથે સંવાદ સાધુ છું. ધીમે ધીમે પિતાજીનું મન ધર્મના માર્ગે વળ્યું અને મેં તેમને આ રીતે હાથમાં લખી લખીને બે પ્રતિક્રમણની ગાથાઓ ગોખાવી અને તેમણે આનંદપૂર્વક બેય પ્રતિક્રમણ કંઠસ્થ કર્યા. હું હંમેશાં કહેતી કે બાપુજી તમે હિંમત રાખો, કોઈ તમારી સાથે ન હોય તો આ ધર્મ તો તમારી સાથે જ છે. તેઓ હિંમતમાં આવી ગયા. હવે એમનું મન ધર્મમાં પરોવાઈ ગયું છે.'
હવે આપ જુઓ, હું આપની સાથે પણ એમને વાત કરાવું છું.” આટલું કહી તેમની દીકરીએ એમના હાથમાં લખીને મારો પરિચય આપ્યો, એમના આનંદનો પાર ન હતો. હું એક વાક્ય બોલતો જાઉં, બેન તેમના હાથમાં લખે અને તે ભાઈ સામે પ્રત્યુત્તર આપે. આમ એક કલાક અમે સંવાદ સાધ્યો. “જ્યારે અમારો આ રીતનો વાર્તાલાપ પૂરો થયો ત્યારે એમના ચહેરા ઉપર ઊંડો સંતોષ હતો. એમની આવી વિષમ પરિસ્થિતિમાં સહાયક માર્ગદર્શક બનવા બદલ મને પણ ઊંડો સંતોષ થયો, પણ એમની કર્મજન્ય સ્થિતિ જોઈને એવો જ ઊંડો ખેદ થયો.” (એ ભાઈ વિ. સં. ૨૦૧૧માં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા.)
કર્મના વિપાકો કેવા કરુણ હોય છે, તે જોતાં હૈયું હચમચી ગયું. મનુષ્ય જીવનમાં જો આવી અવદશા થતી હોય તો તિર્યંચ ગતિમાં અને એમાંય જ્યાં આંખ, કાન, નાક, જીભ કે મન ન હોય ત્યાં કેવી દારૂણ પરિસ્થિતિ હશે, તેની વાસ્તવિકતા સમજાય તો ખાવું પણ ન ભાવે એવું છે.
માત્ર બે જ ઈન્દ્રિયો ગયા પછીની આ દશા અનુભવાતી-સંવેદાતી હોય તો નિગોદના જીવોની, એકેન્દ્રિય જીવોની, બેઈન્દ્રિય જીવોની, ઈન્દ્રિય જીવોની, ચઉરિન્દ્રિય જીવોની અને મન વગરના પંચેન્દ્રિય જીવોની પરિસ્થિતિ કેવી હશે ! હું અને તમે એ સ્થિતિમાં અનંતકાળ રહીને આવ્યા છીએ.
સભા: ત્યાં આટલું બધું કર્મ બંધાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org