________________
૩૪
૨ – આતમ જાગો !
314
ભલે અવરાઈ જાય, પણ નાશ નથી પામતું તેથી તેનામાં તેજ હોવા છતાં બહાર નથી આવતું. એ જ રીતે કર્મોને કારણે તમારી અને મારી પણ આ જ સ્થિતિ થઈ છે. આ સ્થિતિમાં મૂકાયાં છીએ. આપણું આત્મ તેજ દબાઈ ગયું છે.
આપણે સૌએ એવો અનંતો કાળ પસાર કર્યો છે કે જ્યાં સાંભળવા માટે આપણી પાસે કાન ન હતા, જોવા માટે આંખ ન હતી, સુંઘવા માટે નાક ન હતું, બોલવા કે સ્વાદ કરવા માટે જીભ ન હતી, વિચારવા માટે મન ન હતું. બેહાલી તો ત્યાં સુધી હતી કે, સ્પર્શ કરવા માટે સ્વતંત્ર ચામડી પણ ન હતી. અનંતાની વચ્ચે એક જ શરીર હતું અને અનંતાની વચ્ચે એક સાથે અને એક રીતે જીવવાનું હતું. તેથી સ્પર્શનો અનુભવ કરવા માટે ચામડી પણ અનંત જીવો વચ્ચે એક જ હતી. આ સ્થિતિમાં તમે અને મેં અનંત-અનંત કાળ વીતાવ્યો છે. આપણી બેહાલી :
આપણી એ બેહાલીનું વર્ણન કરતાં “ઉપમિતિ ભવપ્રપંચા કથા'માં લખ્યું છે
'xxसुप्ता इव अस्पष्टचैतन्यतया, मत्ता इव कार्याकार्यविचारशून्यतया, मूर्छिता इव परस्परं लोलीभूतया, मृता इव लक्ष्यमाणविशिष्टचेष्टाविकलतया, निगोदाभिधानेष्वपरकेषु निक्षिप्य सम्पिण्डिताः सकलकालं धार्यन्ते ।xx' (મહાઅજ્ઞાન અને મહામોહનીય કર્મોદયના કારણે એ જીવો) સૂતેલા માણસોની જેમ અસ્પષ્ટ ચેતવ્યવાળા, ગાંડા માણસોની જેમ કાર્ય-અનાર્યનો વિચાર કરવાની ક્ષમતા વિનાના, બેભાન માણસોની જેમ એકબીજામાં આસક્ત-એકમેક બની ગયેલા, મડદાંઓની જેમ દેખાતી વિશિષ્ટ ચેષ્ટાઓથી રહિત થઈને નિગોદ નામના ઉકરડામાં ફેંકાઈ એકીસાથે પિંડિત કર્યા હોય તેમ જ
બધો કાળ પસાર કરે છે.' સામાન્યપણે કોઈ જડ અને ચેતન વચ્ચે ભેદ ન દેખાય તેવી સ્થિતિમાં તમે અને મેં અનંત-અનંત કાળ વીતાવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org