SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ - ૨ : આત્માની અનુભૂતિથી સાધનાનો પ્રારંભ – 15 – 311 સૌએ વિચારવાનું છે કે પોતાનો નંબર શામાં આવે છે. “હદયપ્રદીપ છત્રીશી'માં કહ્યું છે કે – નાનત્તિ વેવિત્ર તુ સ્તુની:, कर्तुं क्षमा ये न च ते विदन्ति । जानन्ति तत्त्वं प्रभवन्ति कर्तुं, તે વેડ સ્ટોરે વિરા ભવત્તિ મારા' કેટલાક તત્વને જાણે છે પણ તે મુજબ કરવા સમર્થ નથી. કેટલાક કરવા સમર્થ છે, પણ તે જાણતા નથી. તત્ત્વને જાણે છે અને તે મુજબ પુરુષાર્થ કરવા જે સમર્થ છે, તેવા તો કોઈ વિરલા જ છે.' હવે સૌએ પોતપોતાની સ્થિતિનો વિચાર કરવાનો છે. આપણે પણ આ જ વાત કરવી છે. ભગવાન કહે છે, “તમે શરીર નથી પણ શરીરમાં વસેલ આત્મા છો ? - તો ઘણા કહે છે કે “અમે આવું કાંઈ માનતા નથી'. રોજીંદી ધર્મક્રિયા કરનારા વર્ગની પણ આજે આ દશા છે, જે જોઈને કોઈપણ વિચારકને દુ:ખ થયા વિના ન રહે, દાન આપ્યું, શીલ પાળ્યું, તપ કર્યો, નાનાં-મોટાં અનુષ્ઠાનો કર્યા, પૂજા કરી, પૂજન ભણાવ્યાં, યાત્રા કરી, સંઘ કાઢયા, ઉજમણાં કર્યા, ઉત્સવ કર્યા, ઉપધાન કર્યા, ઉપધાન કરાવ્યાં, સામાયિક કર્યા, પ્રતિક્રમણ કર્યા આવી તો નાની મોટી કેટલીએ ધર્મક્રિયા કરી પણ આત્માને ઓળખવાનો, સમજવાનો કોઈ પ્રયત્ન ન કર્યો. સદ્ગુરુઓએ આત્માને ઓળખાવવાની વાત કરી તો પણ એના તરફ ધ્યાન ન આપ્યું. - પારણામ એ આવ્યું કે આવી સર્વજ્ઞકથિત ધર્મકરણી પણ જડક્રિયા બની, બોજલ બની, એમાં ચૈતન્ય ન પ્રગટ્ય. આવી મહાનક્રિયા કરવા છતાં પણ વિષયોની આસક્તિ ન છૂટી, કષાયોનું તોફાન ન શમ્યું, વ્યવહારિક ઔચિત્ય પણ ન પ્રગટ્યું. ઘણાંનું જો જીવન જોઈએ, એની વિચારશૈલી જોઈએ, એની પ્રવૃત્તિ જોઈએ, એમનો વ્યવહાર જોઈએ તો પણ લાગે કે એમણે હજુ આત્મા માન્યો જ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy