SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ : આત્માની અનુભૂતિથી સાધનાનો પ્રારંભ - 15 તપ ગમે તેટલો કરો, ત્યાગ ગમે તેટલો કરો, પણ જ્યાં સુધી આત્માનું ભાન ન થાય ત્યાં સુધી આ બધી ક્રિયાઓ જડ ક્રિયાઓ બની રહે છે. માટે જ કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે ‘યોગશાસ્ત્ર’માં કહ્યું છે, ૨૭ 'आत्माऽज्ञानभवं दुःख - मात्मज्ञानेन हन्यते । तपसाऽप्यात्मविज्ञान - हिनैश्छेतुं न शक्यते ।।१।।' ‘આત્માને ન ઓળખવાથી ઊભું થયેલું દુ:ખ આત્માને જાણવાથી - ઓળખવાથી નાશ પામે છે. આત્માનું જ્ઞાન પામ્યા વિના તપથી પણ દુઃખતો ક્ષય કરવો શક્ય નથી.' સંસારની રઝળપાટ, આત્માની વિભાવદશા અને અંતરંગ વિકૃતિઓનું મૂળ જો કોઈ હોય તો તે આત્માએ આત્માને ન ઓળખ્યો તે છે. ગમે તેટલો તપ કર્યો, પણ જો આત્માને ઓળખ્યો નહિ તો, ભવ દુઃખનો અંત ક્યારેય નહિ આવે. સવાસો ગાથાના સ્તવનમાં પૂજ્ય ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજાએ પણ કહ્યું છે કે - ‘કષ્ટ કરો, સંયમ ધરો, ગાળો નિજ દેહ; જ્ઞાનદશા વિણ જીવને, નહિ દુ:ખનો છેહ' એ જ રીતે કહ્યું છે કે - ‘જીહાં લગે આતમ દ્રવ્યનું, લક્ષણ નવિ જાણ્યું; તિહાં લગે ગુણઠાણું ભલું, કેમ આવે તાણ્યું.' આત્મા આત્માને ઓળખે નહિ ત્યાં સુધી ખરી રીતે પહેલું ગુણસ્થાનક પણ પ્રગટી શકે નહિ. આત્માને ઓળખ્યા વગર આત્માના લક્ષ્ય વગર અને આત્મહિતની ભાવના વગર કરાતી ધર્મકરણી શરીરના મેલ જેવી છે. માટે જ ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે, B ‘અધ્યાતમ વિણ જે ક્રિયા, તે તનુમલ તોલે’ અધ્યાત્મ વગરની ક્રિયા શરીરના મેલ જેવી છે. 307 Jain Education International પ્રયત્ન એક જ કરવાનો છે, જાગવાનો. પોતાના અસ્તિત્વને જાણવાનો, પોતાના અસ્તિત્વને સ્વીકારવાનો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy