________________
આગમ-મહિમા
શાસનનાયક વંદિએ, ત્રિશલા માત મલ્હાર, જસ મુખથી ત્રિપદી લહી, સૂત્ર રચે ગણધાર.
સુધર્મા ગણધરતણી, રચના વરતે સોય, દ્વાદશ અંગ થકી અધિક, સૂત્ર નહિ જગ કોય.
આથમતે કેવળ-રવિ, મંદિર દીપક જ્યોત, પંચમ આરે પ્રાણીને, આગમનો ઉદ્યોત.
ભવમંડલ મેં ન દેખિયો, પ્રભુજીનો દેદાર, આગમપંથ કહ્યા વિના, રઝળ્યો હું સંસાર.
આગમને અવલંબતાં રે, ઓળખીએ અરિહંત, શ્રી શુભવીરને પૂજતાં રે, પામો સુખ અનંત.
આગમ વાણી અમીય સરોવર, ઝીલત રોગ ઘટાયો, મિથ્યાત મેલ ઉતારી શિર પર, આણા મુગટ ધરાયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
...............................................