SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ – આત્માની અનુભૂતિથી સાધનાનો પ્રાદંભ 150 - વિ.સં. ૨૦૫૮, શ્રાવણ સુદ-૫, મંગળવાર, તા. ૧૩-૮-૦૨, સાચોરી ભવન, પાલીતાણા • પહેલી ગાથામાં રત્નત્રયીનો નિર્દેશ: • તમે કોણ છો ? • પરમાર્થ પામો બાપ અને ત્રણ દીકરા : • સ્વભાવમાં વિકૃતિ લાવે છે કર્મના બંધનો • આપણી બેહાલી : • અનુભૂતિનો ઉપાય : સમ્યગ્દર્શન : વિષય : લાખ ચોર્યાશીનો ચકરાવો. આ પ્રવચનમાં પહેલી ગાથાના પ્રત્યેક પદોનો છૂટક અર્થ કરી એમાં સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રનાં પ્રતિકો ઘટાવી પ્રવચનકારશ્રી અધ્યાત્મની અનિવાર્યતાની સમજ આપવા પ્રેરિત થયા છે. આત્મા જુદો છે, શરીર જુદું છે. બન્ને એક નથી જ. એ બંને એક લાગે છે – એ આપણને થયેલો ભ્રમ છે. એ સમજાવવા તેઓ ઢગલાબંધ યુક્તિઓ લઈ આવ્યા છે. જીવો ચાર ગતિચોર્યાશી લાખ યોનિઓમાં કેવાં કેવાં બંધનો - પાપો સંજ્ઞાઓ અને ભાવમનનાં કારણે સર્જ છે, તેનું હદયદ્રાવક વર્ણન કરી એ કર્મના વિપાકો કેવા દારૂણ હોય છે, તેનો જ્ઞાનીએ વર્ણવેલો આબેહૂબ ચિતાર રજુ કર્યો છે. અનાદિકાળથી અભાન અવસ્થામાં સબડતા આત્માને ભાનમાં લાવવા માટે અક્સીર ઔષધ જેવા શબ્દપ્રયોગો આ પ્રવચનની વિશેષતા છે. પ્રવચનનું પ્રતિબિંબ * સમ્યગ્દર્શન વિના વાસ્તવિક સાધના ક્યારેય થતી નથી. સમ્યગ્દર્શન વિના સાધનામાં વાસ્તવિક યત્ન પણ થતો નથી. * અધ્યાત્મ વગરની ક્રિયા શરીરના મેલ જેવી છે. * જે નરી આંખે જોઈ શકાતું નથી, તે શ્રુતનાં ચશ્માં પહેરવાથી જોઈ શકાય છે. * સમ્યગ્દર્શન પ્રગટતાં જ આત્મા જાગ્રત થાય છે. એને પોતાના સ્વરૂપનું ભાન થાય છે. * વિપ્નો આવશે તેને વ્યર્થ કરશો – વટાવશો એટલે સિદ્ધિ થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy