SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ – ૧ : બોધ પામો ! બોધ પામો ! પ્રભુ વીરની એ વાણી છે! - 14 – 299 કેમકે હવે જો બંધનને ન ઓળખે તો મોતને ઘાટ ઉતરવાનો વારો આવે. દેવલોક ! સાંભળી તરત વિચાર આવ્યો - ભગવાન મહાવીરે કહ્યું હતું કે, દેવોની આંખ ખોલ-બંધ થાય નહીં; તેમને પરસેવો થાય નહિ, તેમના ગળામાં રહેલી માળા ક્યારેય કરમાય નહિ, તેઓ જમીનથી ચાર આંગળ અદ્ધર ચાલતા હોય. અહીં તો બધું ઉધું જોવા મળે છે. આંખ ખોલ-બંધ થાય છે, પરસેવો બાઝયો છે, પગ જમીનને અડે છે અને ગળાની માળા પણ ક્યાંક કરમાઈ ગયેલી છે. નક્કી આ અભયકુમારનો પ્રપંચ લાગે છે. એ બંધનને ઓળખી ગયો. સુંવાળા એવા પણ બંધનને જાણી ગયો. એથી એ સાવધ થઈ ગયો. સાવધ થયેલાને બંધન એટલાં હેરાન ન કરી શકે. જેટલાં બેસાવધને કરી શકે. દેવના સ્વાંગમાં રહેલા રાજપુરૂષોએ એને કહ્યું, “આપણા દેવલોકનો નિયમ છે કે, પૂર્વજન્મમાં જે જે કરણી કરી હોય તે કહેવી પડે. એટલે આપ અમને આપની કરણી કહો !” રોહિણીઓ જાગી ચૂક્યો હતો. પૂરેપૂરો સાવધ થઈ ગયો હતો. એટલે એને ખ્યાલ આવ્યો હતો કે, આ બધો પ્રપંચ છે. હવે એ બંધનને, ફસામણને બરાબર ઓળખી ગયો હતો. એટલે એણેય બંધનથી-ફસામણથી છૂટવા માટે નાટક ચાલુ કર્યું. એણે કહ્યું કે, “ગયા જન્મમાં મેં બહુ ધર્મ કર્યો હતો, આટઆટલું દાન આપ્યું, આટઆટલો તપ કર્યો, આટઆટલું શીલ પાળ્યું,” એનું લાંબું વર્ણન કર્યું. એ બધું અભયકુમાર પાછળ ઉભા ઉભા સાંભળતા હતા. ત્યારબાદ રાજપુરુષોએ એને પૂછ્યું કે, “આ બધું તો આપે કર્યું તે બરાબર પણ ખોટું ય કાંઈક કર્યું હશે ને ? જેમ સારું જે જે કર્યું હોય તે કહેવું પડે, એમ ખોટું પણ જે જે કર્યું હોય, તે પણ કહેવું પડે એવો આપણા દેવલોકનો આચાર છે. તો સ્વામિન્ ! હવે આપ એ પણ કહો કે, ગત જન્મમાં આપે ખોટું શું શું કર્યું હતું ?' આણે કહ્યું કે, “ખોટું કરનારો ક્યારેય દેવલોકમાં આવે ખરો ? મેં તો મારા જીવનમાં કશું જ ખોટું કર્યું નથી.” પ્રભુ વીરના પાવન મુખે સાંભળેલા દેવ જીવનના વર્ણનના પ્રભાવે, આ રીતના અભયકુમારના આયોજનમાં પણ રોહિણીયો ન ફસાયો. એ જાગ્યો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy