________________
૨ - આતમ જાગો !
• 298 તેનાં કપડાં બદલાયાં, તેને અલંકારો પહેરાવાયાં, પુષ્પોની શૈયા તૈયાર કરાવી, એમાં એને સુવડાવીને આખો દેવલોક ખડો કરી દીધો હોય, એવી વ્યવસ્થા કરી કે ભલભલા એમાં ફસાઈ જાય. બુદ્ધિના નિધાન અભયકુમાર જે આયોજન કરે એમાં બાકી શું હોય ?
નિશ્ચિત થયેલી યોજના મુજબ દરેકે દરેક રાજપુરુષો દેવોનો સ્વાંગ સજીને પોતપોતાની રીતે ગોઠવાઈ ગયા. ચારેય બાજુ દેવલોકનું દિવ્ય વાતાવરણ વહેતું થયું. એમાં જ્યારે એ જાગ્યો ત્યારે બધા જ દેવોએ “જય જય નંદા - જય જય ભદ્દા” લ્હી તેનું સ્વાગત કર્યું. આ દશ્ય જોઈ રોહિણીઓ તો આભો જ બની ગયો. એને થયું કે આ બધું શું છે ? હું ક્યાં હતો અને અત્યારે ક્યાં આવી ગયો ? એણે એ બધાને પૂછ્યું કે, હું ક્યાં છું અને તમે બધા કોણ છો ?' તે લોકોએ કહ્યું કે, “સ્વામિનાથ ! આપ દેવલોકમાં ઉત્પન્ન થયા છો ? આપ અમારા નાથ છો ! આપ અમારા સ્વામી છો !”
રોહિણીયાને થયું કે, “શું હું ખરેખર દેવલોકમાં આવ્યો છું. શું હું દેવલોકમાં આવી શકું ?'
એને એટલી તો ચોક્કસ ખબર હતી કે દેવલોકમાં આવવા જેવું મેં કાંઈ જ કર્યું નથી. આટલો ખ્યાલ એને હતો જ. આજે ધર્મી તરીકે ઓળખાતા વર્ગને પણ પોતાના જીવન અંગે અને એનાં પરિણામો અંગે કેટલો ખ્યાલ હશે ! - એ સવાલ છે ?
કોઈ મરે ત્યારે કેટલાક લખે છે કે, “દુ:ખ સાથે જણાવવું પડે છે કે, ફલાણા ભાઈ સ્વર્ગે ગયા, કારણ કે એ સ્વર્ગે જઈ શકે એવું તો એમનામાં કાંઈ હતું નહિ, પણ એ જ્યાં ગયા હોઈ શકે તે જણાવાય એવું નથી અને જે જણાવીએ છીએ એ સાચું નથી. માટે લખે છે કે, “દુઃખ સાથે જણાવવું પડે છે કે ભાઈ સ્વર્ગ ગયા છે.'
રોહિણીયાએ વિચાર કર્યો કે આ સ્વપ્ન તો નથી ને ? એણે પોતાને ચૂંટી ખણી, યાદ કર્યું કે હું ક્યારે મર્યો ? મર્યા વગર તો સ્વર્ગે જવાય નહિ ! વિચારતાં થયું કે હું મર્યો નથી અને સ્વર્ગે આવ્યો પણ નથી. આ તો અભયકુમારની ચાલ લાગે છે. એ જાગી ગયો ! એને પોતાની સ્થિતિ અને સ્વરૂપનો ખ્યાલ આવ્યો એટલે એણે બંધનને ઓળખવાની મહેનત ચાલુ કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org