________________
૧૭
– ૧ : બોધ પામો ! બોધ પામો ! પ્રભુ વીરની એ વાણી છે! - 14 –
297
કેટલાંક બંધનને બંધન તરીકે ઓળખવામાં જ થાપ ખાઈ જવાય તેવું છે.
વધvi રિજિયા' તમને પણ કેટલાં બંધન વળગેલાં છે. વ્યાપારનું બંધન, પરિવારનું બંધન, માવતરનું બંધન, પત્નીનું બંધન, સ્વજનોનું બંધન, શરીરનું બંધન, અંદરની વૃત્તિઓનું બંધન, વિવિધ પ્રવૃત્તિઓનું પણ બંધન, કર્મોનું બંધન, કેટકેટલાં બંધનો વળગેલાં છે ? રોહિણીયો ચોર : જાગ્યો અને બંધનોને તોડ્યા :
વ્યવહારિક જગતમાં પણ જે જાગે છે, બંધનને જાણે છે, બંધનને તોડવાનો પ્રયત્ન કરે છે, તે કઈ રીતે બચે છે, તે સમજાવવા માટે તમને એક વ્યવહારિક દૃષ્ટાંત આપવું છે. એના ઉપરથી આધ્યાત્મિક સ્તરે કેવી રીતે જાગવું, બંધનને જાણવાં અને એને તોડવાનો પ્રયત્ન શી રીતે કરવો એ સહેલાઈથી સમજાશે; રોહિણીયા ચોરની એ વાત છે.
એ રોહિણીયો ચોર જ્યારે પકડાયો ત્યારે મહારાજ શ્રેણિકના ક્રોધનો પાર નહોતો, એને જોતાં જ એમને થયું કે “આખી રાજગૃહીને એણે ઘમરોળી નાખી છે, હમણાં જ એને પૂરો કરી નાંખ્યું. આથી તેઓ આવેશમાં ને આવેશમાં તલવાર લઈને એને મારવા દોડ્યા, ત્યાં જ અભયકુમારે એમને રોકીને કહ્યું, “મહારાજ ! હજુ ગુનો પુરવાર થયો નથી, ગુનો પુરવાર થયા વિના કોઈને સજા કરી શકાય નહિ.” પછી અભયકુમારે તેના ગામમાં એના વર્તાવ અંગેની તપાસ કરી. ગામમાંથી કોઈએ પણ કહ્યું નહિ કે, “આ ચોર છે.” ઉપરથી કહ્યું કે, “તમે કોને પકડ્યો ? એ તો અમારા જીવનનો આધાર છે, એ અમારી જીવાદોરી છે. એ અમારાં ગામનો મોભી છે.”
એની વિરૂદ્ધમાં એક પણ પુરાવો મળ્યો નહિ, બધા જ પુરાવા એની સજ્જનતાના સાક્ષીરૂપ મળ્યા. ગુનો પુરવાર થાય નહિ, ત્યાં સુધી આરોપીને શિક્ષા થાય નહિ. અભયકુમારે વિચાર્યું કે, આ જબરો બુદ્ધિમાન છે. સહેલાઈથી એનો ગુનો પુરવાર થાય તેવો નથી. આથી તેમણે ગંભીરપણે એક યોજના વિચારી અને અમલમાં મૂકી. એ માટે તેને ઉત્તમ ભોજન આપ્યું. એમાં એ બેભાન થાય તેવાં દ્રવ્યો મેળવી દીધાં, જેથી એ બેભાન થયો, બેભાન થતાં જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org