________________
૧૫ – ૧: બોધ પામી ! બોધ પામી ! પ્રભુ વીરની એ વાણી છે! - 14 - 295
પરમતારક ગુરુદેવે આજ ગરવા ગિરિરાજની પાવન છાયામાં ભવ્યાત્મા ચંડકૌશિક અને એના પૂર્વભવની અવસ્થાઓનું અદ્ભુત વર્ણન કર્યું હતું. જેનું સંકલન “પતન અને પુનરુત્થાન' નામના પુસ્તકમાં સુંદર રીતે કરવામાં આવ્યું છે.
જેમાં ગોભદ્ર તરીકેનો ચંડકૌશિકનો પૂર્વભવ. એમાં એણે સાધેલો આત્મવિકાસ, એમાંથી થયેલું એનું પતન, એમાંથી સર્જાયેલી પતનની પરંપરા અને પુનઃ પ્રભુના યોગે થયેલું એનું પુનરુત્થાન અદ્ભુત રીતે વર્ણવાયું છે. માટે જ એ પુસ્તકનું નામ “પતન અને પુનરુત્થાન” રાખ્યું છે. આ પુસ્તકને વાંચવું એ પણ જીંદગીનો એક લહાવો છે.
અન્ય સમુદાયના એક આચાર્ય ભગવંતે આ પુસ્તક ૨૧-૨૧ વખત વાંચ્યું છે. તો બીજા એક મહાત્માએ આ પુસ્તકના આધારે ચોમાસાના ચાર મહિનાનાં વ્યાખ્યાનો કર્યો છે. એ પુસ્તકમાં જે રીતે એક એક પ્રસંગોને રજૂ કર્યા છે, તેને
જ્યારે તમે વાંચો ત્યારે જ ખ્યાલ આવે ! ભવ્યાત્મા ચંડકૌશિકનો પૂર્વજન્મ એમાં વર્ણવાયેલો છે, તેની ભૂમિકા અતિ અભુત છે, રજૂઆતની શૈલી પણ વિશિષ્ટ કોટિની છે અને ઉપસંહાર પણ અદકેરો છે. સભાઃ પરમાત્મા ત્યારે જે શબ્દ બોલ્યા, તેને કેટલાક તે પરમાત્માનો પ્રસાદ હતો”
એમ માને છે, શું તે સત્ય છે ? પરાકાષ્ઠાની સમત્ત્વની સાધના અને મહાકરુણામાંથી ઘટેલી આ ઘટનાને પ્રમાદ માનવો કે મનાવવો એ જ વિપર્યાસ નામનો મોટો પ્રમાદ છે.
પહેલી વાર ગૃહસ્થ જીવનમાં પ્રભુને બુદિ ' - એવું પદ લોકાંતિક દેવોએ કહ્યું, બીજી વાર ‘લુ બુટ્ટા' - એવું પદ છમસ્યકાળમાં પ્રભુએ ચંડકૌશિકને કહ્યું અને હવે ત્રીજી વાર ફિઝ' - એવું પદ પ્રભુએ સુધર્માસ્વામીને કેવળજ્ઞાન પછી કહ્યું. પ્રભુ, ચંડકૌશિક અને જંબુસ્વામીની જેમ આપણે પણ સૌભાગ્ય :
સુધર્માસ્વામીના મુખે એ જ મંત્રપદ જંબુસ્વામીજીને સાંભળવા મળ્યું, જંબુસ્વામીજીના મુખેથી એ જ મંત્રપદ પ્રભવસ્વામીને સાંભળવા મળ્યું, તેમ પરંપરા ચાલતી ચાલતી આચાર્ય ભગવંતોની પરંપરાના માધ્યમે આજે આપણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org