________________
આતમ જાગો !
હતી. દેખીતી રીતે, આપણામાં તેનાં કરતાં ઘણું સારું છે, એના જેવી ખરાબીઓ પણ નથી, છતાં એનામાં જે લાયકાત હતી તે આપણામાં નથી. માટે જ પ્રભુએ પોતાના ૫૨ જેણે ઝેર વર્ષાવ્યું તેના ઉપર પણ અમૃત-કરુણા વર્ષાવી. એણે સિંચેલા ઝેરને પણ પચાવીને એને સાધનાનું અમૃત પાયું. જન્મ-મ૨ણની પરંપરામાંથી એને ઉગારીને અમરત્વના માર્ગે પ્રયાણ કરાવ્યું.
૧૪
૨
લોકોએ વિચાર્યું, દૃષ્ટિવિષ સર્પની દૃષ્ટિથી દેવાર્ય પણ રાખનો ઢગલો થઈ ગયા હશે. દૂરદૂરથી જોયું અને તેમને સ્થિર ઉભેલા જોયા. લોકો ધીમે ધીમે નજીક આવવા લાગ્યા. તમાશાને તેડું હોતું નથી. લોકો વધારે નજીક આવવા લાગ્યા અને લોકોમાં વાત ફેલાઈ કે, દેવાર્થે મહાનાગને નાથ્યો. લોકોનું ગમનાગમન ચાલુ થયું. દૂધ-દહીં-ઘી વેચવાવાળા તે માર્ગેથી ચાલવા લાગ્યા. જે સર્પને જોઈને ગઈ કાલ સુધી જે લોકો દૂર ભાગતા હતા, તે જ આજે તેની પૂજા કરવા લાગ્યા. સદોષ વ્યક્તિ પણ જ્યારે નિર્દોષ બને છે, ગુણસંપન્ન બને છે ત્યારે જે લોકો એને ધિક્કારતા હોય છે તે જ એની પૂજા કરે છે. કોઈ દૂધથી એને નવરાવે છે, તો કોઈ એના દેહ ઉ૫૨, દૂધ, દહીંનાં છાંટણાં કરે છે, કોઈ એના અંગ ઉપર ઘીનું સિંચન કરે છે, તો કોઈ મીઠી નજરોથી એને નિહાળે છે. આમ છતાં વિવેક વગરની, પરિણામના વિચાર વગરની પૂજા પણ કેવાં પરિણામ સર્જે છે, એ વસ્તુ આ ઘટનામાં જોવા મળે છે.
294
એ દૂધ-દહીં ને ઘીની ગંધથી જંગલી કીડીઓ આવવા લાગી અને ચંડકૌશિકના શરીરને ડંખ મારવા લાગી, જંગલી કીડીઓના કાતિલ ડંખના કારણે એના શરીરમાંથી લોહીની શેરો ફૂટવા લાગી. તેની ગંધથી કીડીઓનાં ઝુંડના ઝુંડ તૂટી પડ્યાં. એ ડંખથી શરીરમાં કાળી બળતરા અને પારાવાર વેદના થવા લાગી. ત્યારે ચંડકૌશિક સર્વે વિચાર્યું કે, ‘જો હું જરા પણ હાલીશ તો કેટલીયે કીડીઓનાં પ્રાણ જશે ! થોડા જ સમય પૂર્વે ખુદ પ્રભુ વીરના પ્રાણ લેવા મરણીયો થઈ પ્રયત્ન કરનારો એ જીવ હવે કીડીઓના પણ પ્રાણ બચાવવાની ચિંતા કરે છે.
Jain Education International
કીડીઓએ એનું શરીર ચારણી જેવું કરી નાંખ્યું. આ સ્થિતિમાં સુસ્થિરપણે શુભધ્યાનપૂર્વક પંદર દિવસનું અનશન કરીને આઠમા દેવલોકમાં ચાલ્યો ગયો. આ બધી સાધના એક ‘વ્રુષ્ણ-વ્રુષ્ણ’ શબ્દને આભારી છે. આ એક જ શબ્દ ઝીલનારા જો બરાબર ઝીલે તો આ શબ્દમાં કેટલી તાકાત છે. તે આથી બરાબર સમજી શકાય તેમ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org