________________
૧૩
– ૧ બોધ પામો ! બોધ પામો! પ્રભુ વીરની એ વાણી છે! - 14 -
293
હવે પ્રભુના ચરણે નમી નમીને એ પોતાના અપરાધની માફી માંગવા લાગ્યો. દંશ માર્યો ત્યારે ય એ પ્રભુના ચરણે નમ્યો હતો, પણ એ નમનથી એણે પાપ એકઠાં કર્યાં હતાં અને હવે પણ એ પ્રભુના ચરણે નમ્યો. પણ એ નમનથી એણે એકઠાં કરેલાં પાપો ભસ્મસાત્ કર્યા. પરમાત્મા બધુ જોઈ રહ્યા છે. એને હવે પોતાનાં બંધનો તોડવાં છે. કેટકેટલાં બંધનો એને વળગ્યાં છે ? તિર્યંચ ગતિનું બંધન, કષાયોનું બંધન, હિંસક ભાવનું બંધન, કર્મોનું બંધન, તેને તોડવા એ પુરુષાર્થશીલ બન્યો.
પરમાત્માએ માત્ર એક વાક્યથી બોધ કર્યો અને તેણે ‘બુક્સ વુક્સ ” પદનો પરમાર્થ પકડી લીધો અને તે જ વખતે જીવનભર માટે ચારે ય આહારનો ત્યાગ કરી અનશન કર્યું. અનશન કર્યા પછી, અનંત ઉપકારી એવા પરમાત્માનાં દર્શન જ કર્યા કરું એવી ભાવના હોવા છતાં પોતાની ઝેરીલી દૃષ્ટિનું ઝેર ક્યારે કોના પ્રાણ લેશે, તે કહેવાય નહિ; એ વિચારે દરમાં મોટું નાખીને રહ્યો. શરીર આખું બહાર રાખ્યું. જાણે નક્કી કર્યું કે ભલે હું પરમાત્માને ન જોઉં, પરંતુ પરમાત્માની દૃષ્ટિ તો મારા ઉપર પડવી જ જોઈએ.
ચારેય આહારનો ત્યાગ કરવાના સંકલ્પપૂર્વક, જીવ માત્રને અભય આપવાના સંકલ્પપૂર્વક કરેલાં પાપકર્મોનો ક્ષય કરવાના સંકલ્પપૂર્વક, સાધના દ્વારા જ જીવનને પૂર્ણ કરવાના સંકલ્પપૂર્વક એણે પોતાના મુખને દરમાં રાખીને કાયાને પ્રભુ વીરની પાવન દૃષ્ટિમાં સ્થાપીને ચિત્તને સમભાવમાં સ્થિર કરીને શાંત, પ્રશાંત, ઉપશાંત બનીને એણે સાધનાનો પ્રારંભ કર્યો અને પરમાત્માએ પણ નક્કી કર્યું કે, જ્યાં સુધી આની સાધના પૂર્ણ ન થાય ત્યાં સુધી મારે અહીં જ રહેવું. કેવો ભાગ્યશાળી એ આત્મા !
મહાહિંસા કરનારો એ જીવ, ક્રોધમાં ધમધમતો એ જીવ, પરમાત્માના પ્રાણ લેવા આવેલો એ જીવ, કષાયોના અને હિંસાના અનુબંધ લઈને આવેલો એ જીવ. એના ઉપર પણ પરમાત્માએ કરુણા કરી ! મહાકરુણા કરી, એનો ઉદ્ધાર કર્યો. એનું કલ્યાણ કર્યું, એના ભવભ્રમણને ટાળ્યું. એને મોક્ષમાર્ગ ઉપર દોડતા કરી દીધો. કેવા પ્રભુ ! કેવી પ્રભુની કરુણા ! અને કેવો એ કરુણાપાત્ર. આવો ક્રોધી, હિંસક, કષાયી એ જીવ હોવા છતાં એનામાં ઘણી લાયકાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org