________________
૧૨
–
૨ – આતમ જાગો !
–
-
292
સ્વભાવમાં સ્થિર થયો. પ્રભુના ચરણોમાં એણે પોતાની ફણા ઢાળી દીધી. આંખમાંથી પશ્ચાત્તાપનાં આંસુ વહેવા લાગ્યાં. નમ્ર-વિનમ્ર બનીને એ પ્રભુનાં પાવન ચરણોમાં પુનઃ પુનઃ નમવા લાગ્યો. ચડતા તાવમાં દવા ન અપાય : સભા: પ્રભુએ આવીને તરત જ “વું લુ વંડોશિય' એવું કેમ ન કહ્યું. આટલું
બધું બન્યા પછી જ કેમ કહ્યું ? જ્ઞાનીઓ ધમધમતા ક્રોધમાં ક્યારેય ઉપદેશ આપતા નથી. ચડતા તાવમાં જેમ દવા ન અપાય તેમ. ઉપદેશ ઝીલવાની ભૂમિકા ન સર્જાય ત્યાં સુધી જ્ઞાનીઓ ઉપદેશની પ્રવૃત્તિ કરતા નથી.
પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ જ્ઞાનથી જોયું કે, જન્માંતરમાં સંતોષને ધરનારો એ આત્મા હતો. સુંદર સંયમી એ આત્મા હતો, ચારિત્રવાન એ આત્મા હતો, વિષયોને જીતનારો એ આત્મા હતો અને ગુણોની સમૃદ્ધિને વરેલો એ આત્મા હતો. પણ થોડો પ્રમાદ થયો, એ પછી અહં પ્રગટ્યો. એમાંથી ક્રોધ આવ્યો, ક્રોધવશ એ એની સાધના ચૂકી ગયો અને હિંસકભાવને આધીન થયો. એમાંથી ક્રોધ અને હિંસાના અનુબંધો પડ્યા, જેને પરિણામે એ અહીં આવી ચડ્યો છે. એટલે જ એણે પ્રભુ ઉપર ત્રણ-ત્રણ વખત વાળાઓ મૂકી, ભયંકર ડંખ માર્યો અને એ ડંખ દ્વારા પોતાનું ઝેર પ્રભુના શરીરમાં ઓક્યું, આમ છતાં તેના ઉપર પણ પ્રભુ મહાવીરે કરુણા કરી. અવસરની રાહ જોતા પ્રભુએ જ્યારે બરાબર અવસર આવેલો જોયો ત્યારે જ તેઓ બોલ્યા, “લુફ્ફ ડુ ચંડોલિયા ' ન જાણે એ શબ્દોએ શું અસર કરી ?
તિર્યંચના ભાવમાં રહેલા એ જીવમાં, ક્રોધના અનુબંધોને લઈને આવેલા એ જીવમાં, દુર્ગતિની પરંપરા ચાલે તેવા કર્મોના બોજ નીચે દબાયેલા એ જીવમાં ન જાણે પરમાત્માએ કઈ લાયકાત જોઈ હતી ! પ્રભુ વીરે બહુ લુ’ એટલું કહ્યું ને ખરેખર એ જીવ જાગ્યો, મોહની નિદ્રા ત્યાગી, એને જાતિસ્મરણ જ્ઞાન થયું, પૂર્વભવમાં કરેલી સંયમની આરાધના અને વિરાધના આંખ સામે આવી, કરેલી વિરાધનાનાં પરિણામો આંખ સામે આવ્યાં. પૂર્વે કરેલી આરાધના અને એનો આસ્વાદ આંખ સામે આવ્યો અને થયું, જો આજે ભગવાન ન મળ્યા હોત તો મારું શું થાત ? પશ્ચાત્તાપનો પાવક પ્રગટ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org