________________
૯
– ૧ : બોધ પામી ! બોધ પામો ! પ્રભુ વીરની એ વાણી છે! - 14 –
289
પ્રતિબોધ કરવા એક રાતમાં ૬૦ યોજનનો વિહાર કરીને છેક પ્રતિષ્ઠાનપુરથી ભરૂચ સુધી પધાર્યા હતા. પરંતુ તે ઘટના કેવળજ્ઞાન પામ્યા પછી બનેલી છે.
જ્યારે પ્રભુ મહાવીરદેવના જીવનની આ ઘટના તો તેઓશ્રીના કેવળજ્ઞાન પામતાં પૂર્વેના છબસ્થકાળમાં બનેલી છે.
સામાન્ય નિયમ એવો છે કે તીર્થકરો છબસ્થ અવસ્થામાં ઉપદેશ આપતા નથી. પરંતુ અપવાદપદે તેઓ ક્યારેક અલ્પાક્ષરી બોધ આપવાનું કાર્ય પણ કરતા હોય છે. તીર્થકરો છબસ્થ અવસ્થામાં ચારજ્ઞાનના ધણી હોય છે. ચારજ્ઞાનના ધણી “આગમવ્યવહારી'માં ગણાય છે. આગમવ્યવહારીને પોતાના પ્રત્યક્ષ જ્ઞાનથી કે વિશિષ્ટ શ્રુતજ્ઞાનથી જે વસ્તુમાં લાભ દેખાય અગર તો જે જે કરવું ઉચિત લાગે તે તેઓ કરી શકે છે. પરમાત્મા મહાવીરદેવે પણ છદ્મસ્થ અવસ્થામાં આ રીતે લાભ દેખી ઉપદેશાદિની ક્વચિત પ્રવૃત્તિ કરી હતી. સભા: “આગમ વ્યવહારીમાં કોણ કોણ આવે ?
આગમાદિ શાસ્ત્રોમાં આગમવ્યવહારીમાં છ જણનો સમાવેશ કરેલો છે. કેવળી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વી, દશપૂર્વ અને નવપૂર્વી.
વ્યવહારસૂત્રના પહેલા ઉદ્દેશામાં જણાવ્યું કે – 'आगमव्यवहारिणः षट् तद्यथा - केवलज्ञानी, मनःपर्यवज्ञानी, अवधिज्ञानी', चतुर्दशपूर्वी , दशपूर्वी, नवपूर्वी च ।' ‘આગમવ્યવહારીઓ છ છે. તે આ મુજબ - કેવળજ્ઞાની-૧, મન:પર્યવજ્ઞાની-૨, અવધિજ્ઞાની-૩,
ચૌદપૂર્વી-૪, દશપૂર્વી-પ અને તવપૂર્વી-૬.' ભગવતી સૂત્ર' આગમના “આઠમા શતકના “આઠમા ઉદેશા'ની ટીકામાં તેઓની પ્રવૃત્તિ અંગે લખ્યું છે કે - 'xxयदा यदा यस्मिन् यस्मिन् अवसरे यत्र यत्र प्रयोजने वा क्षेत्रे वा यो यः उचित: तं तं (इति शेषः) तदा तदा काले तस्मिन् तस्मिन् પ્રયોગના xx' ‘xxજે જે અવસરે અથવા જે જે કાર્યમાં અથવા જે જે ક્ષેત્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org