________________
૨૫૮
- ૨ - આતમ જાગો !
538
સાંભળતાં સૌનાં દિલ અધ્ધર થઈ ગયાં.
જ્યારે જનાનો અલગ અલગ વિભાગમાં જતો ત્યારે ત્યાં બંધાયેલા માંચડા પાસે ઊભો રહેતો. ફકીર ઉપર ચડીને જ્યારે ફરમાન સંભળાવવાની શરૂઆત કરતો ત્યારે સૌના શ્વાસ ચિંતાથી થંભી જતા, પણ એ ફરમાનો પ્રજા જેમ જેમ સાંભળતી ગઈ, તેમ તેમ તેમના શ્વાસ નીચે બેસતા ગયા અને સૌને થયું કે બાદશાહ મરતાં મરતાં પણ જીવી ગયો અને જગતને જીવવાનો સાચો સંદેશ આપી ગયો.
પોતાના જીવનના વ્યવહારથી જે સિકંદર નામચીન બન્યો હતો તે જ મૃત્યુ સમયનાં આ ફરમાનોથી નામાંકિત બની ગયો. પ્રજાએ પૂરા આદરથી એની અંતિમ ક્રિયા કરી.
એ માટે સિકંદરનાં ચાર ફરમાનો આજે પણ લોકજીભે ગવાય છે. સભા : સાહેબ એ સંભળાવોને ? સિકંદરે કરેલાં ફરમાનોને રજુ કરતાં એક કવિએ લખ્યું છે કે –
મારા મરણ વખતે બધા વૈધોને અહીં બોલાવજો, મારી નનામી એ જ વૈદ્યોના ખભે ઊંચકાવજો; રે દર્દીઓના દર્દને દફનાવનારું કોણ છે ? દોરી તૂટી આયુષ્યની ત્યાં સાંધનારું કોણ છે. – ૧ મારા મરણ વખતે બધાં હથિયાર લશ્કર લાવજો, આગળ રહે મૃત દેહ, પાછળ સર્વને દોડાવજો; આખા જગતને જીતનારું સૈન્ય પણ રડતું રહ્યું, વિકરાળ દળ ભૂપાળને ના કોઈ છોડાવી શક્યું. – ૨ મારા મરણ વખતે બધી મિલકત અહીં પધરાવજો, મારી નનામી સાથ કબ્રસ્તાનમાં પણ લાવજો; જે બાહુબળથી મેળવ્યું, તે ભોગવી પણ ના શક્યો, અબજોની મિલકત આપતાં પણ એ સિકંદર ના બચ્યો. ખાલી હથેલી રાખીને જીવો જગતમાં આવતા, ને ખાલી હાથે આ જગતથી સૌ ત્યજી ચાલ્યા જતા; યૌવન ફના જીવન ફના જર-જમીન ને જોરૂ ફના, પરલોકમાં પરિણામ ફળશે, પુણ્યનાં કે પાપનાં. – ૪'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org