SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૭. ૧૦ : પરિગ્રહ એ સુંવાળું બંધન – 23 – 537 સભા : સિકંદરે ફકીરને શું કહ્યું? અને ફકીરે એનો અમલ શી રીતે કર્યો છે, જેથી એ નામચીનમાંથી નામાંકિત બન્યો ? મરતાં પહેલાં જ સિકંદરે પોતાના મંત્રી, સેનાપતિ વગેરેને જણાવ્યું કે મારા મૃત્યુ પછી જે કાંઈ કરવાનું છે, તે બધું જ મેં આ ફકીરને જણાવ્યું છે. મારા મરણ પછી તે જેમ કહે તેમ જ બધું તમારે કરવાનું છે. કોઈને ખબર નહોતી કે બાદશાહે ફકીરને શું કહ્યું છે અને એનો અમલ શી રીતે કરવાનો છે ? જ્યારે બાદશાહ સિકંદરનું મૃત્યુ થયું ત્યારે ફકીરની સૂચના મુજબ જ બધી તૈયારીઓ કરવામાં આવી. સામાન્ય રીતે કોઈપણ બાદશાહના મૃત્યુ પછી એનો જનાનો એના સ્વજનો ઉપાડતાં હોય છે. અહીં એનાથી જુદું હતું. એનો જનાનો જગતને જીવાડવાનો દાવો કરનાર વૈદ્યો અને હકીમોના ખભે ઉપડાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે આવા સમયે લશ્કર, શસ્ત્રોને મ્યાન કરીને આગળ ચાલતું હોય છે. જ્યારે અહીં પૂરા લશ્કરે શસ્ત્રોને મ્યાનમુક્ત કરીને નાનાની પાછળ દોડવાનું હતું. સામાન્ય રીતે મૃત્યુ પછી જીવનકાળમાં મેળવેલી સંપત્તિનું પ્રદર્શન કરાતું નથી, હોતું. અહીં તે પણ કરવાનું હતું અને એ જ રીતે જમાનામાં ગોઠવાયેલ મૃતદેહના હાથ ઢંકાયેલા હોય છે. જે અહીં ખુલ્લા રાખીને ખાલી બતાવવાના હતા. ફકીરની આ સૂચના મુજબ સિકંદરનો જનાનો કાઢવામાં આવ્યો અને નગરના દરેક રાજમાર્ગો ઉપર ફેરવવામાં આવ્યો. એ દરમ્યાન મુખ્ય મુખ્ય સ્થળોએ બહુ ઊંચા મંચો બાંધવામાં આવ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં જનમેદનીએ નીચે એકત્રિત થવાનું હતું. એમને કહેવાયું હતું કે જહાંપનાહ મૃત્યુ પામતાં પૂર્વે પ્રજાજોગ જે ફરમાન કર્યા છે, તે તમને સંભળાવવાનાં છે અને તમારે સાંભળીને એનો અમલ કરવાનો છે. આ સાંભળીને પ્રજાના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. દરેકને થયું કે, જીવતે જીવ તો એ બધાંને મારતો ગયો અને મરતાં પણ એ કેવાં ફરમાનો કરીને ગયો હશે ! એના મૃત્યુથી લોકોએ નિરાંતનો શ્વાસ લીધો હતો, પણ આ ફરમાનની વાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy