________________
૨૫૬
-
૨ - આતમ જાગો !
536
કોઈનો હાથ કાપ્યો હોય કે કોઈનો પગ કાપ્યો હોય, જેણે કોઈની સંપત્તિ લૂંટી હોય કે, કોઈની મા-દીકરીને લૂંટી હોય, જેણે કોઈ એકાદ જણનું ખૂન કર્યું હોય કે, અનેકનું ખૂન કર્યું હોય, એ બધાને આજ સુધી મેં કેવી કેવી શિક્ષાઓ ફરમાવી છે? તો આમાંની એક એક વસ્તુ મેળવવા મેં આમાંનું કાંઈક નહિ પણ બધું જ અને તે પણ એકવાર નહિ, પણ અનેકવાર કર્યું છે, તો એની મને શું શિક્ષા થશે? અહીંથી મરીને મારે ખુદાતાલાના દરબારમાં જવાનો વારો આવશે. ત્યાં મારો ચોપડો ખુલશે. ત્યારે મારી શી દશા થશે ? મને કેવી કેવી શિક્ષા કરવામાં આવશે, એ વિચારતાં જ એ ધ્રૂજી ઊઠ્યો.
એ ગમે તેવો તોય આવું કાંઈક માનનારો હતો. ભલે એની પાસે સાચી સમજ ન હતી, પણ પરલોક અને પરલોકમાં આ રીતે પણ કરેલી કરણીની શિક્ષા થશે, એવી માન્યતા તો એનામાં પણ ઘર કરીને બેઠી હતી. એટલા અર્થમાં એ આસ્તિક પણ હતો.
આ રીતે પણ એના મનમાં કાંઈક શુભ ચિંતન શરૂ થયું. મૃત્યુ અને મૃત્યુ પછીના પાપના વિપાકો એને દેખાવા લાગ્યા. એથી એની આંખો આંસુથી ભરાઈ ગઈ. ચિકિત્સકોને થયું કે, પરિસ્થિતિ કાંઈક વધુ ગંભીર બની લાગે છે. તેથી તેઓ એકદમ સિકંદરની નજીક ધસી ગયા અને એમણે સિકંદરની નાડી પોતાના હાથમાં લીધી પણ સિકંદરે કહ્યું, “હવે મને તમારી જરૂર નથી, મને એક સાચા ફકીરની જરૂર છે, એને બોલાવો.'
જેને પોતાની જિંદગીમાં ક્યારેય ફકીરની જરૂર પડી નહોતી, તેને આજે ફકીરની પોતાના ધર્મગુરુની જરૂર પડી. એ જાગ્યો તો એને ગુરુની જરૂર પડી. જે જાગે તેને ગુરુની જરૂર પડે. તમે જાગ્યા નથી અને જાગવા માગતા નથી માટે જ તમને ગુરુની જરૂર પડી નથી.
ભલે એની સમજ મર્યાદિત હતી. ભલે એના ધર્મગુરુ ફકીર પાસેથી બીજું કાંઈ ઉત્તમ તત્ત્વ મળે તેવું ન હતું. પણ એ આટલો જાગ્યો તો એને પોતાની સમજ મુજબ પણ પોતાના ધર્મગુરુની જરૂર પડી અને એ મુજબ એમને બોલાવવામાં આવ્યા અને એ ફકીરને એણે જે કાંઈ સૂચનો કર્યા અને એનો જે રીતે અમલ કરાયો, એના પરિણામે છેલ્લે છેલ્લે ય એ નામચીનમાંથી નામાંકિત બની ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org