________________
૨૫૫
–
૧૦ : પરિગ્રહ એ સુંવાળું બંધન - 23
–
535
એવી એની પણ સ્થિતિ હતી. આવા સ્વભાવના ઘણા લોકો તો અમારી પાસે આવીને પણ પોતાના ધંધાનું વર્ણન કરે ! અને અમને કહે કે, સાહેબ દોરીલોટો લઈને આવ્યો હતો અને એમાંથી આ આ રીતે આ બધું સર્જન કર્યું છે.
... અમે થાકી જઈને એની સામે નજર ન કરીએ તો છેવટે કહે, “સાહેબ ! મારો આ બધો ઈતિહાસ સાંભળવા જેવો છે, કેટલી મહેનત પછી મેં આ બધું સર્જન કર્યું છે. એ બધું આપ સાંભળશો તો આપને પણ આશ્ચર્ય થશે ?” સભાઃ આપને વ્યાખ્યાનમાં કહેવા કામ લાગે ને !
વ્યાખ્યાનમાં કહેવા માટે તમારી પાસેથી અમારે કાંઈ જાણવાની જરૂર નથી. અમે અનંતજ્ઞાની બાપના દીકરા છીએ. આજનો કોઈ પણ સાહિત્યકાર કે, દુનિયાનો કોઈપણ લેખક, કોઈ પણ દાર્શનિક કે કોઈ પણ અનુભવી અમને જે જ્ઞાન આપી શકે તેના કરતાં અનંતગણું જ્ઞાન, અનંતગણો અનુભવ અનંતજ્ઞાનીઓનું આ શાસ્ત્ર આપી શકે છે.
કહેવા એ માંગુ છું કે, તમે જેમ તમારા પરાક્રમનું વર્ણન કરો, તેમ સિકંદરને અજાયબ ઘરમાં રહેલી એક એક વસ્તુને જોતાં એને મેળવવા માટે એણે પોતે કરેલાં એક-એક પરાક્રમો યાદ આવતાં હતાં, દેખાતાં હતાં. આના માટે આ પરાક્રમ કર્યું, આના માટે આટલાં ગામો ઉજ્જડ કર્યા; આના માટે આટલા લોકોને વધેરી નાંખ્યા, આના માટે આટલા માઈલો સુધી દિવસ-રાત જોયા વગર ઘોડા ઉપર દોડ્યો, આના માટે આટલી-આટલી દડમજલો કરી. એ બધું એને યાદ આવવા લાગ્યું અને એમાં એને ખુશી થવા લાગી. કારણ કે, એમાં એનું માન પોષાતું હતું અને મન પોરસાતું હતું. આ રીતે શરૂઆતમાં એને પોતાનાં એક એક પરાક્રમો યાદ આવવા લાગ્યાં. પણ આ પછી એકાએક એની વિચારધારામાં પલટો આવ્યો.
જોવાનું એનું એ જ હતું. એની પાછળની ઘટનાઓની સ્મૃતિ પણ એની એ જ હતી. પણ એ આખાયે ઘટનાચક્રને જોવાની એની દૃષ્ટિમાં અચાનક પરિવર્તન આવ્યું. એનો દૃષ્ટિકોણ બદલાયો અને વિચારની આખી દિશા જ બદલાઈ ગઈ; જેણે એને “નામચીનમાંથી “નામાંકિત” બનાવી દીધો.
એને થયું કે, આમાંનું એક પણ કામ બીજા કોઈએ કર્યું હોય તો તેને કઈ સજા થાય ? આજ સુધીમાં આવાં કાર્યો કરનારને મેં કઈ કઈ સજા કરી છે, જેણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org