________________
૧૦ : પરિગ્રહ એ સુંવાળું બંધન - 23
મેળવ્યા પછી એને જાળવવાની જફા ઓછી છે ? જ્યારે પૈસો આવે ત્યારે પણ કેટલી ચિંતાઓ અને ઉપાધિઓ અનુભવી છે ? અને જ્યારે જાય કે જો એમ લાગ્યું ત્યારે પણ તમારી હાલત કેવી થઈ છે ? એ બધું બરાબર
વિચારો !
૨૫૩
પૂજ્યપાદ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ‘જ્ઞાનસાર’માં લખ્યું છે કે, ગ્રહોની ગમે તેવી વિડંબણા હોય, પણ પરિગ્રહ નામના ગ્રહની વિડંબણા સામે એ ગ્રહોની વિડંબણા કોઈ વિસાતમાં નથી. કારણ કે, સૂર્ય, ચંદ્ર વગેરે ગ્રહો જે રાશિમાં આવીને કષ્ટપ્રદ જણાતા હોય તે રાશિનું પરાવર્તન થતાં કષ્ટપ્રદ નથી જણાતા અને સુખપ્રદ પણ જણાય છે. બુધ વગેરે જે ગ્રહો વક્રી બનીને દુ:ખપ્રદ જણાતા હોય તે માર્ગી બનતાં દુઃખપ્રદ નથી જણાતા અને સુખપ્રદ પણ જણાય છે, જ્યારે આ પરિગ્રહ નામનો ગ્રહ તો ક્યારેય પોતાની રાશિ બદલતો નથી અને ક્યારેય એ પોતાનું વક્રીપણું છોડી માર્ગી પણ બનતો નથી. તેથી જ તેણે ત્રણેય જગતના લોકોની વિડંબણા કરવામાં ક્યારેય પાછું વાળીને જોયું પણ નથી. તેઓશ્રીમદ્ના શબ્દોમાં જ જોઈએ તો -
‘ન પરાવર્તતે રાશે-ર્વતાં ખાતુ નોતિ ।
પરિગ્રહ: પ્રહ: હોય, વિન્વિતન ત્રયઃ ।।।।'
‘ત્રણેય જગતની વિડંબણા કરતાર આ પરિગ્રહ નામનો ગ્રહ કયો છે કે, એ ક્યારેય રાશિનું પરાવર્તન પણ કરતો
નથી અને વક્રતાનો ત્યાગ પણ ક્યારેય કરતો નથી.'
533
જે આ પરિગ્રહ નામના ગ્રહની, ચાલમાં ફસાય તેને નવેય ગ્રહો નડે અને જે આ પરિગ્રહની ચુંગાલમાંથી છૂટે તેને નવમાંથી એકપણ ગ્રહ નડી શકે નહિ. સભા : પૈસાથી ભલે બીજું કાંઈ સુખ ન મળે પણ પ્રસિદ્ધિ તો મળે ને ?
પ્રસિદ્ધિને તમારે કરવી છે શું ? એનાથી તમારું શું વળવાનું ? ક્યારેય કોઈની પ્રસિદ્ધિ કાયમ રહી છે ? ચક્રવર્તી જેવા ચક્રવર્તીનાં નામ પણ ભૂંસાઈ ગયા તો શું તમારું નામ કાયમ રહેશે ! જે દુનિયા આજે તમારા ગુણ ગાઈને તમને ઉપર ચડાવે છે, એ જ કાલે તમારી ઘોર નિંદા કરીને તમને પટકી નાંખશે અને એ પ્રસિદ્ધિ માટે કરેલ પાપનાં ફળ જ્યારે ભોગવવાનો વારો આવશે, ત્યારે આમાંના કોઈ બચાવવા નહિ આવે. જ્યારે પણ આવી ખોટી ભૂખ જાગે ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org