________________
૨૫ ૨
૨ - આતમ જાગો !
–
532
ત્રણ જગતના આ નાથે તો આ બધાં બંધનોને છોડવાનો-તોડવાનો ઉપદેશ આપ્યો છે અને એ માટેનો માર્ગ બતાવ્યો છે. ભગવાને તો કહ્યું કે, ન ગામનું બંધન જોઈએ, ન ઘરનું બંધન જોઈએ, ન પરિવારનું બંધન જોઈએ, ન પૈસાટકાનું બંધન જોઈએ અને છેલ્લે કહ્યું કે, આ શરીરનું પણ બંધન ન જોઈએ. એમાંય આગળ વધીને કહ્યું કે, માત્ર આ ઔદારિક શરીરનું જ બંધન ન જોઈએ, એમ નહિ; પણ એના કારણભૂત કાર્પણ અને તૈજસ શરીરનું બંધન પણ ન જોઈએ. આ બધાં જ બંધનો તોડવા માટે તો ભગવાને મહાન એવા આ ધર્મશાસનની સ્થાપના કરી છે.
જો આંખ ખુલ્લી રાખીને, હૃદયને સાબદું કરીને અને બુદ્ધિનો બરાબર ઉપયોગ કરીને વિચારશો તો તમને પણ સમજાશે કે, જ્યાં જ્યાં બંધન છે, ત્યાં ક્યાંય સુખ નથી, પણ દુઃખ છે. માટે તો કહ્યું કે –
'संजोगमूला जीवेण पत्ता दुक्खपरंपरा ।' “સંયોગના કારણે જીવ દુઃખોની પરંપરાનો ભોગ બન્યો.' જેટલા ચિંતકો થઈ ગયા, જેટલા વિચારકો થઈ ગયા, જેટલા સાધકો થઈ ગયા; જેટલા જ્ઞાનીઓ થઈ ગયા, એ બધાએ એકી અવાજે કહ્યું કે, ભોગમાં તો હજી પણ કોઈને સુખનો ભ્રમ થવાની શક્યતા છે. કારણ કે -
માપતિરણા પરિણામ વિષય: ' ‘વિષયો પહેલી નજરે રમ્ય છે પણ પરિણામે દારુણ છે.' જ્યારે અર્થમાં તો પહેલાં કે પછી ક્યારેય સુખ નથી. એટલે જ અર્થ માટે, પરિગ્રહ માટે યોગશાસ્ત્રકારે કહ્યું કે, “ગર્ગને રક્ષો નાશે, વ્યયે સર્વત્ર ટુમ્ |
धत्ते कर्णगृहीताच्छ-भल्ललीलां धनं नृणाम् ।।' ધત અર્જતમાં, નાશમાં, વ્યયમાં બધે દુઃખદાયી છે. તેથી તે ધન કાનથી પકડેલ રીંછની જેમ (કૂદાકૂદ) લીલા ધારણ કરે છે.' સાચું બોલો ! શું વગર મહેનતે પૈસો આવે છે? પૈસો મેળવવા તમે કેટલાં દુ:ખ વેઠ્યાં ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org