________________
૨૫૧ – ૧૦ : પરિગ્રહ એ સુંવાળું બંધન - 23 - 531 વસ્તુનો એટલે કે સજીવ વ્યક્તિનો કે અજીવ વસ્તુનો હોય.
એક વાત સમજી લો કે, જે ઝેર હોય તેને ઝેર જ કહેવાય. એને માટે આ મારનારું છે, જીવ લેનારું છે, - એમ જ કહેવાય. પછી ભલે તે ધોળું હોય કે કાળું હોય. સોનાની ડબ્બીમાં હોય કે ચાંદીની ડબ્બીમાં હોય. ઘન સ્વરૂપે હોય કે પ્રવાહીના રૂપમાં હોય, બાટલીમાં હોય કે ડબ્બીમાં હોય, છેલ્લે ઝેર તો ઝેર જ છે, એ મારનારું જ છે.
કોઈ પૂછે કે, તે ઝેર શેમાં પીવાય? સોનાના ગ્લાસમાં કે ચાંદીના ગ્લાસમાં? તેને કહેવું પડે કે, ન પીવાય. તેમ જ્ઞાની ભગવંતો કહે છે કે, કોઈ પણ સ્વરૂપે જેમ ઝેર એ ઝેર છે, તેમ પરિગ્રહનું બંધન એ બંધન છે. જેમ ઝેર ન પીવાય, તેમ આ પરિગ્રહનું બંધન પણ ન રખાય.
જ્યારે તમને આ બધું સમજાશે અને આ બધાં બંધન જ્યારે તમને બંધન લાગશે ત્યારે તમે એને માંગી જ નહિ શકો. તમે સ્વયં કહેશો કે, ભગવાન ! હવે આ ગાળીયો છોડાવો !
તમારું અંતર જ તમને કહેશે કે, “હવે મારે દેવ-ગુરુ પાસે બંધન છોડવા જવું છે. બંધનથી બંધાવા નથી જવું.' | કોઈ મા-બાપ એવાં હોઈ શકે, કે દીકરો પોતાના ગળામાં ગાળીયો નાંખીને કહે કે, “પપ્પા, હવે ભીસ મારો ! અને તે સાંભળીને બાપ એ દીકરાના ગળામાં ભીસ મારે ? કોઈ દીકરો કહે કે, “ગાળીયો નાંખ્યા પછી કેવું થાય ? એ મારે જોવું છે ! પંખામાં ગાળીયો લગાવું છું અને પછી તમે સ્વીચ ઓન કરજો !” તો તમે શું કરો ? ખૂબ રુવે, કરગરે, “કરો ને પપ્પા કરો !” એમ કહે તો એની ઈચ્છા ખાતર પણ તમે કરો ખરા ? તમે કહોને કે, “બેટા ! ઝેરનાં પારખાં ન હોય.” બંધન તોડવા માટે જ જૈનશાસનની સ્થાપના : સભા: તો પછી ભગવાને આ બધાં બંધનો આપ્યાં કેમ ?
અહીં જ તમારી ભૂલ થાય છે. તમે જે માનો છો કે, આ બધું ભગવાને આપ્યું છે, એ તમારી મોટામાં મોટી ભૂલ છે, ગંભીરમાં ગંભીર ભ્રમણા છે. ભગવાને આ કશું જ આપ્યું નથી. ભગવાને તો આ બધાંને બંધન કહી એનાથી છૂટવાનું કહ્યું છે અને એનાથી છૂટવાનો માર્ગ બતાવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org