________________
૨૫૦
-
૨ - આતમ જાગો !
-
530
વધારવાનો માર્ગ પૂછવો, માંગવો, તે કાંઈ સમજની વાત છે ? - જેમને પરિગ્રહ વગેરે બંધન તરીકે નથી ઓળખાયાં તે ક્યાંય પણ જાય, એ આ જ ધંધો કરવાના. ભગવાન પાસે જાય તો ત્યાં પણ બંધન વધારવાની કે તેને મજબૂત કરવાની વાત કરવાના અને ગુરુ પાસે જાય તો ત્યાં પણ બંધન વધારવાની કે એને મજબૂત કરવાની વાત કરવાના. આ કેવી દુઃખદ પરિસ્થિતિ છે ! જ્યાં જઈને બંધન છોડવાનાં ત્યાં જઈને જ બંધન વધારવાની વાતો કરવી અને એનાં જ રોદણાં રોવાનાં ! સભા : આપની પાસે ન રુવે તો કોની પાસે રુવે ?
અમારી પાસે કે કોઈ પણ ધર્મગુરુ પાસે રોવાની ના નથી. પણ શું રોવું અને શા માટે રોવું? – તે સમજવું જરૂરી છે.
ધર્મગુરુ પાસે જઈને, બંધન નથી તૂટતું તે રોવાની છૂટ છે અને એ તોડવાના માર્ગો – ઉપાયો પૂછવાની પણ છૂટ છે; પણ બંધન કેમ વળગતું નથી ? – એવી વાતો કરવાની છૂટ નથી.
ધર્મગુરુ પાસે જઈને બંધન વધારવાની વાતો કરવી કે એ માટે રોવું એ નરી બાલીશતા છે. સભા: “શું બાળકો મા-બાપ પાસે બાળક્રીડા નવ કરે અને મુખમાંથી જેમ આવે તેમ
શું નવ ઉચ્ચરે...” એમ જે કહ્યું છે તેનું શું? આ કડી પાપો રોવા માટેની છે, દુઃખોને રોવા માટેની નથી. બંધનો વળગ્યાં છે, એની વેદના વ્યક્ત કરવા માટેની છે. બંધનો નથી મળ્યાં, એ રોવા માટે નથી. હું જે કહું છું, તેને તમે થોડા ગંભીર થઈને સાંભળો અને પૂરી ગંભીરતાપૂર્વક એને સમજવાનો પ્રયત્ન કરો.
આ વાતો એ માત્ર કહેવાની - મોંઢે બોલવાની કે લુખી શાસ્ત્રચર્ચા કરવાની વાત નથી. આ અંદરથી સંવેગ પેદા કરવાની વાત છે, જે ભગવાને કહી છે. જો એને એ રીતે નહિ સાંભળો કે એ રીતે સમજવાનો પ્રયત્ન નહિ કરો તો નુકસાન તમને થશે અને આ નુકસાનને તમે સામાન્ય નહિ સમજતા. જેની કોઈ રીતે ભરપાઈ ન થઈ શકે તેવું આ નુકસાન છે. એટલે હવે ફરી પણ સ્વસ્થ બની, સજાગ બની ઉપયોગશીલ બની, સમજવાનો પ્રયત્ન કરો કે આ દરેક દરેક પ્રકારનો પરિગ્રહ એ બંધન છે. પછી ભલે તે કોઈ પણ વ્યક્તિનો હોય કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org