________________
૨૪૮
૨ - આતમ જાગો !
528
કરવાના બદલે ભાગી છૂટવાનો પ્રયત્ન કરે.
પરિગ્રહ, ધન, સંપત્તિનો લોભ કેવો ભયાનક છે, એને વશ થયેલી દુનિયા કેવા કેવા કાર્યો, સાહસો અને પુરુષાર્થો કરે છે અને અંતે કેવા દુઃખી થાય છે, તેનું તાદશ વર્ણન અનેક ધર્મગ્રંથોમાં કરવામાં આવ્યું છે. હિતોપદેશ' નામના ગ્રંથમાં પૂ. આ. શ્રી પ્રભાનંદસૂરિજી મહારાજે ખૂબ પ્રભાવી શબ્દોમાં આ વર્ણન કરતાં જણાવ્યું છે કે –
'गाहंति गहिरमुवहिं अडंति वियडाडवीसु भीमासु । पविसंति य विवरेसुं रसकूइयं पलोयंति ।।५०९।।' લોભવશ માનવો ઊંડા સમુદ્રમાં ડૂબકી મારે છે, ભયંકર અને વિકટ એવા જંગલોમાં ભમે છે, ઘોર ખાડામાં પ્રવેશે છે અને રસકૂંપિકાઓને શોધે છે.' 'तिहुयणविजयं विजं जवंति रत्तिं भमंति पेयवणे ।
कुव्वंति धाउवायं खिजंति य खन्नवाएण ।।५१०।।' ‘લોભીઓ ત્રિભુવન પર વિજય મેળવવા માટે વિદ્યા-મંત્ર જપે છે, રાતમાં સ્મશાનમાં ભમે છે, ધાતુવાદ (સોનું બનાવવાની વિદ્યા) કરે છે અને વિધાનો મેળવવા ખોદકામ કરે છે.' 'पसिणंति किन्हचित्तयउप्पत्तिं धुत्तदेसिएहितो ।
निउणं बिल्लपलासप्परोहमग्गे विमग्गंति ।।५११।।' લોભીઓ, ધૂર્ત લોકો પાસે કૃષ્ણ ચિત્રાવેલીની ઉત્પત્તિના પ્રશ્નો કરે છે, બિલીપત્ર કે ખાખરાના મૂળસ્થાને ધન હોવાની વાતો બધાને નિપુણતાથી કહેતા ફરે છે.' 'वंचंति सामिगुरुजणयतणयसयणाइयं च जं पुरिसा । विलसियमिणमो सयलं निब्भरलोभस्स निब्भंतं ।।५१२।।' લોકો જે ૧ - સ્વામીને ઠગે છે, ૨ - ગુરુને ઠગે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org