________________
૨૪૭ - ૧૦ : પરિગ્રહ એ સુંવાળું બંધન – 23 – 527 બનાવાઈ રહ્યો છે. લસ્સો કેમ બનાવાય છે ? જેટલો લીસ્સો વધારે તેટલી વધારે ઝડપથી ભીસ આવે અને એટલા જ ઝડપથી પ્રાણ લે.
એટલે જ શત્રુ વગેરેનાં બરછટ બંધનો કરતાં પુત્ર-પત્ની વગેરેનાં સુંવાળાં બંધનોથી વધારે સાવધ રહેવાનું છે. પૂજ્ય ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજનું એ વચન યાદ કરો કે,
૧૮ રત્વ પાશ તનયનતા સ્નેહટિતમ્ !' મોહતા સુભટ એવા વિષયોરૂપ કસાઈઓ, પુત્ર-પત્ની
અને સ્નેહનો ફાંસલો ગળામાં ભેરવીને જીવોને ખતમ કરે છે.' સભા : સાહેબ એ આખો શ્લોક અને એનો અર્થ સંભળાવોને ? એ શ્લોકમાં એમ કહ્યું છે કે,
'गले दत्वा पाशं तनयवनितास्नेहघटितं, निपीड्यन्ते यत्र प्रकृतिकृपणा: प्राणिपशवः । नितान्तं दुःखार्ता विषमविषयैर्घातकभटै -
“વ-શૂનીસ્થાનં તવદદ મહાસાધ્વરમ્ !' ‘સ્વભાવથી શક્તિહીન અને અત્યંત પીડિત એવા
જીવોરૂપ પશુઓને પુત્ર અને સ્ત્રીના પ્રેમથી બતાવેલો ગાળીયો (પાશ) ગળામાં નાંખીને વક્ર-વિષયોરૂપ કસાઈઓ જ્યાં ખૂબ પીડા આપી રહ્યા છે, તે
સંસારરૂપી કતલખાનું ખરેખર મહાભયંકર છે.' “અધ્યાત્મસાર”ના “ભવસ્વરૂપ-અધિકાર'ના આ શ્લોકમાં પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સંસારને કતલખાનાની ઉપમા આપી છે અને પાંચેય ઈન્દ્રિયોના વિષયોને કાતિલ કસાઈઓની ઉપમા આપી છે. આ કસાઈઓ પુત્ર અને પત્નીના સ્નેહ સ્વરૂપ ફાંસલાઓ તૈયાર કરી અજ્ઞાન અને અવિવેકના કારણે પશુ જેવું જીવન જીવતા જીવોના ગળામાં ભરાવે છે અને મૂળથી જ દુઃખી એવા જીવોને વધુને વધુ રિબાવે છે. જેનાં વિવેક ચક્ષુ ખૂલે તેને આ કતલખાનાનું દેશ્ય તાદશ દેખાય તેવું છે. જેને તે સ્વરૂપ દેખાય તે સંસારસ્વરૂપ કતલખાનામાં રહેવાના બદલે, પુત્ર-પત્નીના સ્નેહથી સર્જાતા ફાંસલામાં ફસાવાનું પસંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org