________________
૨૪૬
૨
- આતમ જાગો !
બધુંય તેને માટે જ છે કે, જેને ત૨વું છે.
સર્વવિરતિ સ્વીકારવાની ઈચ્છા છતાં જેઓની તેવી શક્તિ ન હોય, સત્ત્વ ન હોય, તે માટે જરૂરી કર્મોનો ક્ષયોપશમ જેને થયો ન હોય, તેવા આત્માઓ પણ ભવસાગર તરવાની, કર્મબંધનોથી છૂટવાની સાધના કરી શકે, તે માટેના આ બધા માર્ગો છે.
જે કોઈ સમ્યગ્દર્શનના આ મજબૂત પાટીયાને પકડી લે, એનામાં એ વિવેક પ્રગટે કે એ ૨હે સંસારમાં પણ એમાં ૨મે કદી નહીં. ભલે એનું શરી૨ સંસારમાં હોય પણ એનું મન તો મોક્ષમાં જ હોય.
526
માટે તો પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે ‘શાસ્ત્રવાર્તા સમુચ્ચય'માં લખ્યું કે,
'सम्यग्दर्शनपूतात्मा न रमते भवोदधौ । '
‘સમ્યગ્દર્શનથી પવિત્ર બનેલો આત્મા સંસારસાગરમાં રહેવું પડે તો રહે પણ એમાં રમે નહિ.’
આ ઉપરાંત ‘શ્રી યોગબિંદુ' ગ્રંથરત્નમાં તેઓશ્રીમદે જ લખ્યું છે કે, 'भिन्नग्रन्थेस्तु यत् प्रायो मोक्षे चित्तं भवे तनुः ।'
‘જેણે ગ્રંથી ભેદીને સમ્યગ્દર્શનને પ્રાપ્ત કર્યું હોય, તેનું શરીર સંસારમાં હોય પણ તેનું મન તો મોટે ભાગે મોક્ષમાં હોય.'
જેને સમ્યગ્દર્શન થાય તે ભલે બંધન છોડી ન શકે, પણ એને બંધન તો બંધન જ લાગે.
Jain Education International
જેને બંધન – બંધન લાગ્યું હોય, તેના ચિત્તની સ્થિતિ એવી હોય કે એનું શરી૨ સંસારમાં હોવા છતાં એનું મન તો મોક્ષમાં હોય.
સુવાળાં બંધનો તોડવાં અઘરાં :
માટે જ સમકિતી નિરંતર બંધનથી છૂટવાની મહેનત કરતો હોય. એને ખબર છે કે, બરછટ બંધન કરતાં સુંવાળુ બંધન વધારે ખતરનાક હોય છે. ઘણીવા૨ કોઈને ફાંસીનું ફરમાન થઈ ગયું હોય પછી છાપામાં અહેવાલ આવતા હોય છે કે, ગાળીયો તૈયા૨ થઈ રહ્યો છે. એને માખણ પીવડાવીને લીસ્સો
For Private & Personal Use Only
www.jainelibrary.org