________________
૨૪૩ - ૧૦: પરિગ્રહ એ સુંવાળું બંધન - 23 – 523 મુક્તિને સાધવા માટેનો સાધના માર્ગ સમજાવ્યો કે, તે પુણ્યાત્માઓના હૃદયમાં એ બધી વાતો સોસરી ઉતરી ગઈ અને તેમને થયું કે, ભગવાન મહાવીરે કહેલી આ તમામ વાતો નિતાંત સત્ય છે, પરમ સત્ય છે. આ સંસાર સાચે જ અનંત દુઃખમય છે. પ્રભુએ વર્ણવેલો મોક્ષ એ જ અનંત સુખમય છે અને એ માટે પ્રભુએ બતાવેલો શ્રમણ ધર્મ એ જ એક જીવનનો સાચો રાહ છે. આમ છતાં એ માર્ગે ચાલવા માટે એમણે પોતાના સત્ત્વનું, સામર્થ્યનું માપ કાઢ્યું અને એમાં એમને જ્યારે લાગ્યું કે, પ્રભુએ બતાવેલ આ શ્રમણ ધર્મને જીવવાનું અમારું સામર્થ્ય નથી, ત્યારે એમણે પારાવાર વેદના અનુભવી. અમને મનોમન એવી મુંઝવણ થઈ કે, હવે શું કરવું? ઘણા ઘણા વિચારો કર્યા. કોઈ રસ્તો દેખાયો નહિ, એટલે તેઓ ભર સમવસરણમાં ઉભા થયા. ભગવાન સમક્ષ બે હાથ જોડી નતમસ્તકે તેમણે આંતરિક સંવેદનાને વાચા આપી.
‘મય ! જે મહું, જે પરમ, સેસે !” ભગવાન ! આપે જે સંયમ બતાવ્યું તે અર્થભૂત છે. આપે જે મોક્ષ બતાવ્યો તે પરમાર્થભૂત છે અને એ સિવાય પૂરો
સંસાર, બધું જ અનર્થભૂત છે.' - આવા એમના હૃદયના ઉદ્ગારો હતા.
પરમાર્થભૂત મોક્ષ એમને પામવો હતો. એ માટે અર્થભૂત સંયમ એમને લેવું હતું અને એ માટે જે અનર્થભૂત પૂરો સંસાર એમને છોડવો હતો, પણ તે માટેનું પોતાનું સામર્થ્ય એમને ન જણાયું. તેથી તેમણે પોતાની સંવેદનાને વાચા આપીને પોતાના સામર્થ્યને અનુરૂપ તરવાનો માર્ગ બતાવવા ભગવાન શ્રી મહાવીરદેવને પ્રાર્થના કરી. જેના ઉત્તરમાં ભગવાને તેમને સમ્યકત્વપૂર્વકનાં બાર વ્રતવાળો દેશવિરતિ ધર્મ બતાવ્યો.
એક જ દેશનાથી એમનું પરિવર્તન થયું. એમને દેશના આપનારા પરમાત્મા કેવા હતા અને સામે ઝીલનારા પુણ્યાત્માઓ કેવા હતા, - એ બરાબર વિચારજો!
આપણને પણ અનેકવાર સાક્ષાત્ પરમાત્મા મળ્યા હશે, એમને આપણે ઘણીવાર સાંભળ્યા પણ હશે, આમ છતાં આપણને એ બંધન બંધન કેમ ન લાગ્યાં? આપણે એ બંધનને તોડવાનો પ્રયત્ન કેમ ન કર્યો ? અને હજુ આપણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org