________________
૧૦ : પરિગ્રહ એ સુંવાળું બંધન – 23
અકથ્ય અનુભૂતિ કરતા હો છો, જે આજ સુધીમાં ક્યારેય અનુભવ્યું નથી. તો એવું તો આ કબાટમાં શું છે કે, જેને આ રીતે આપ હાથ જોડો છો અને આવી અગમ્ય અવસ્થાને અનુભવો છો ?'
૨૪૧
જવાબમાં પેથડશાએ કહ્યું કે, “પ્રિયે ! ભીમશ્રાવકની વાત તું કેમ ભૂલી ગઈ ? ભીમ શ્રાવકના ગુરુદેવનો કાળધર્મ થયો. એનો એને બહુ ઊંડો આઘાત લાગ્યો. એને થયું કે, ગુરુદેવનાં ચરણોની સેવા કરવાની તક ચાલી ગઈ, ગુરુદેવના સાંનિધ્યમાં સાધવા જેવું ન સાધી શક્યો : ગુરુદેવની પાવનસ્મૃતિમાં મારે મારા જીવનને પાવન ક૨વા કાંઈક કરવું જ જોઈએ, - એમ વિચારી એણે જીવનભર માટે ચતુર્થ બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કર્યો. એ નિમિત્તે તેમણે બધા ચતુર્થ વ્રતધારીને ખાસ રેશમી વસ્ત્રની ભેટ મોકલી અને સંઘના મોભી તરીકે મને પણ એ વસ્ત્રની ભેટ મોકલી છે.
521
ત્યારે મને વિચાર આવ્યો કે, ‘ચતુર્થ વ્રત નિમિત્તે આ ભેટ મોકલાઈ છે. હું તેમાંનો નથી. આ ભેટ કેમ લઈ શકું ?’ સાથોસાથ મને એ પણ વિચાર આવ્યો કે, ‘આટલા ભાવથી મોકલેલી આવી ઉત્તમ ભેટને પાછી પણ કેમ વાળી શકું ?'
એટલે તો એ ભેટનો સ્વાગત કરીને બહુમાનપૂર્વક સ્વીકાર કર્યો અને આ કબાટમાં એને બહુમાનપૂર્વક પધરાવી મનોમન સંકલ્પ કર્યો કે, જ્યાં સુધી હું પોતે જીવનભર માટે ચતુર્થ બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર નહિ કરું ત્યાં સુધી હું આ વસ્ત્ર નહિ પહેરું. ત્યારથી રોજ પ૨માત્મભક્તિ, ગુરુવંદના કરી ઘરે આવું છું ત્યારે આ કબાટમાં રાખેલ આ ઉત્તમ વસ્ત્ર સામે ઉભો રહી ભાવના કરું છું કે, ‘જીવનમાં ક્યારે એવી ધન્ય પળ આવશે કે, જ્યારે હું બ્રહ્મચર્ય વ્રતનો ધારક બનીશ !"
આ સાંભળીને પ્રથમિણીથી ન રહેવાયું અને એણે અતિ સહજપણે પૂછી લીધું કે, ‘આપની આવી ઉત્તમ ભાવના છે, તો એ માટે આપ કોની રાહ જુઓ છો ?’ જવાબમાં મંત્રીશ્વરે કહ્યું કે, ‘એ માટે મારે બીજા કોની રાહ જોવાની હોય, જ્યારે તું તૈયારી બતાવે ત્યારે આ મહાન વ્રત સ્વીકારી ધન્ય બનવું છે.'
આ સાંભળી પ્રથમિણીએ મંત્રીશ્વરની વાત સાનંદ સ્વીકારી લીધી અને એ બન્ને ય પુણ્યાત્માઓએ માત્ર ત્રીસ અને બત્રીસ વર્ષની ભરયુવાવસ્થામાં અમાપ સત્તા અને અફાટ સમૃદ્ધિની ઉછળતી છોળો વચ્ચેય બ્રહ્મચર્ય વ્રતની મહાપ્રતિજ્ઞા સ્વીકારવાનો નિર્ણય કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org