SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ ૨ - આતમ જાગો ! 518 આત્માને દુઃખી કરતા આ કર્મબંધનોને જોવા માટે આપણી પાસે એવી આંખ પણ નથી કે એવું કોઈ વિશિષ્ટ જ્ઞાન પણ નથી, પરંતુ જ્ઞાની ભગવંતો આ બંધનને બરાબર જોઈ શકે છે, જાણી શકે છે. એક-એક આત્મા કેવા કેવા કર્મોથી બંધાઈ રહ્યો છે અને તે કર્મોને કારણે કેવી-કેવી વિડંબણાઓનો ભોગ બની રહ્યો છે, તે કેવળી ભગવંતો અત્યારે પણ સાક્ષાત્ જોઈ શકે છે. આપણે ભલે બંધનને, બંધનની ક્રિયાને કે બંધનનાં કારણરૂપ કર્મને જોઈ ન શકીએ, તો પણ તેનાં પરિણામ - તેના વિપાક તો બરાબર જોઈ જાણી શકીએ છીએ; આમ છતાં પણ જ્ઞાનાવરણ અને મોહાવરણના કારણે આ વિપાકો એ આ કર્મબંધનના વિપાકો છે – એવું જાણી કે જોઈ શકતા નથી. અનંત કરુણાનિધાન સર્વજ્ઞ ભગવંતો કહે છે કે, તમારી અજ્ઞાનતાના કારણે ભલે તમને કર્મ, કર્મનાં બંધનો ન દેખાતાં હોય, પણ અમને તો સાક્ષાત્ દેખાય છે. તેથી જ તમને કહીએ છીએ કે, “જો દુ:ખ કે દુઃખદ પરિસ્થિતિ તમને મંજૂર ન હોય તો તમારે એ વસ્તુ સમજી લેવી જરૂરી છે કે, તમારા જીવનમાં જે પણ દુઃખ આવે છે કે દુઃખદ પરિસ્થિતિઓનું સર્જન થાય છે, તે તમને બંધાયેલાં કર્મોનું પરિણામ છે અને એ કર્મબંધનું જો કોઈપણ કારણ હોય તો તે કર્મબંધનાં કારણો પૈકીનું એક અતિ મહત્ત્વનું કારણ પરિગ્રહ છે. એથી જો તમારે કર્મનાં બંધનથી છૂટવું હોય, કર્મના પરિણામે સર્જાતાં દુઃખથી બચવું હોય તો લાંબું કાંઈ કરવાની જરૂર નથી. એક પરિગ્રહને છોડો. આ પરિગ્રહને છોડવાનું શક્ય ત્યારે બનશે કે જ્યારે અર્થ, અનર્થકારી છે એવું સમજાશે. સભા અર્થ, અનર્થકારી છે એવું તો અમે પણ કહીએ જ છીએ ને ? અર્થ અનર્થકારી છે, - એમ તમે બોલો છો ખરા, પણ તમને તેની પ્રતીતિ થઈ છે ખરી ? જેના જીવનમાં સદણાનો ભાવ પ્રગટ્યો હોય, સમ્યગ્દર્શનનો ભાવ પ્રગટ્યો હોય, તેને માટે જ “અર્થ-અનર્થકારી છે' - એ વાત પ્રતીતિનો વિષય બની શકે. એક વાત નક્કી છે કે, વીતરાગ-સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માનાં પાવન વચનો ઉપર વિશ્વાસ નહિ થાય ત્યાં સુધી “અર્થ એ અનર્થકારી છે, પરિગ્રહ એ પાપ છે' - એ વાતો, પ્રતીતિનો વિષય નહિ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy