SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ઃ પરિગ્રહ એ સુંવાળું બંઘના અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવંત શ્રીસુધર્માસ્વામીજી મહારાજા બંધન કોને કહેવાય ? તેને તોડવાના ઉપાયો શું ? શું જાણીને તેને તોડી શકાય ? તે સમગ્ર વાત સૂયગડાંગજી સૂત્ર નામના મહાન આગમના માધ્યમથી આપણને સમજાવી રહ્યા છે. એમના પાવન મુખેથી બંધન અને બંધનમુક્તિનો માર્ગ જાણવાનું પરમ સૌભાગ્ય શ્રી જંબુસ્વામીજીને મળ્યું. તે પરમ સૌભાગ્ય ભલે આપણું નથી, છતાં આપણને સદ્ગુરુભગવંતની પરંપરાએ પણ જે સાંભળવા મળ્યું તે સૌભાગ્ય પણ નાનું-સૂનું તો નથી જ. હવે તેને આપણે લેખે લગાડવાનું છે. બધા પાપ પરિગ્રહ ઉપર નભે છે : કર્મ એ બંધન છે, અનાદિકાળથી આત્મા તેનાથી બંધાયેલો છે. આ કર્મોનું સર્જન કરવાની એક આગવી તાકાત પરિગ્રહમાં છે. એક અપેક્ષાએ કહી શકાય કે, અઢાર પૈકીનાં સત્તર પાપ આ પરિગ્રહ ઉપર નભે છે. કોઈપણ વ્યક્તિ જે હિંસાદિ પાપો કરે છે - મુખ્યતયા પરિગ્રહ માટે કરે છે. કેટલાંક પાપો પરિગ્રહ માટે થાય છે તો કેટલાંક પાપો પરિગ્રહના સહારે થાય છે. મિથ્યાત્વશલ્ય નામનું અઢારમું પાપ એવું છે કે, પરિગ્રહની આસક્તિ એ પાપ છે, તેમ લાગવા ન દે. આને કારણે નિરંતર પાપ ચાલુ જ રહે અને જ્યાં સુધી પાપ ચાલુ રહે ત્યાં સુધી નિરંતર થતા કર્મબંધથી આત્મા બંધાયા જ કરે. આ રીતે નિરંતર કર્મબંધનના કારણે આત્મા વધુને વધુ દુઃખી થયા કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy