SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ ૨ - આતમ જાગો ! તેને વિશ્વનું રક્ષણ કરનાર જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે પરિગ્રહ કહ્યો નથી. તેઓ જો એના ઉપર મૂર્છા-મમત્વ કરે તો તે પરિગ્રહ છે, તેવું કહ્યું છે - એમ ગણધર મહર્ષિઓએ જણાવ્યું છે.' શ્રી દશવૈકાલિક સૂત્રનાં આવાં ટંકશાળી વચનો સાંભળ્યા પછી હવે તમારા મનમાં કોઈ વિકલ્પ રહેવો ન જોઈએ. એ જ રીતે ‘પ્રશ્નવ્યાકરણ' આગમની ટીકામાં - 'एतदपि च संयमस्योपबृंहणार्थमुपष्टम्भार्थं न परिग्रहसंज्ञया ' “ધર્મોપકરણો સંયમના ટેકા માટે, આધાર માટે ગ્રહણ કરાય છે, નહિ કે પરિગ્રહ સંજ્ઞાથી.’ એમ જણાવી વિહિત ધર્મોપકરણો રાખવાં એ પરિગ્રહ નથી એમ સ્પષ્ટપણે બતાવેલ છે. એ જ રીતે અહીં શ્રી સૂયગડાંગ સૂત્રની આ જ ગાથાની વૃત્તિના પ્રાંત ભાગમાં પણ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે - 'परिग्रहाऽऽग्रह एव परमार्थतोऽनर्थमूलं भवति । ' ‘તાત્ત્વિક રીતે પરિગ્રહનો આગ્રહ જ અનર્થનું મૂળ છે.' હવે આગળ વધીને અજૈન ગ્રંથોમાં આવતી વાતો પણ ધ્યાનમાં લાવીને અજૈન વર્ગને પણ આ પરિગ્રહની ભયાનકતા અને વિવેકની મર્યાદા સમજાવવી છે. ‘જ્ઞાનસાર’માં પૂ. મહોપાધ્યાયજી મહારાજા જણાવે છે કે - ‘મુતિચ્છન્નધિવાં સર્વ, ખળવેવ પરિબ્રહ્મ: । मूर्च्छया रहितानां तु, जगदेवाऽपरिग्रहः ।।' 512 ‘જેમની બુદ્ધિ મૂર્છા-મમતાથી ઢંકાયેલી હોય, તેમના માટે જગત આખું જ પરિગ્રહ છે. જેઓ મૂર્છા-મમતાથી રહિત છે, તેમને માટે પૂરું જગત જ અપરિગ્રહ છે.’ જૈનેતર ગ્રંથ ‘મહાભારત’માં પણ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy