________________
૨૩૨
૨ - આતમ જાગો !
તેને વિશ્વનું રક્ષણ કરનાર જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે પરિગ્રહ કહ્યો નથી. તેઓ જો એના ઉપર મૂર્છા-મમત્વ કરે તો તે પરિગ્રહ છે, તેવું કહ્યું છે - એમ ગણધર મહર્ષિઓએ જણાવ્યું છે.'
શ્રી દશવૈકાલિક સૂત્રનાં આવાં ટંકશાળી વચનો સાંભળ્યા પછી હવે તમારા મનમાં કોઈ વિકલ્પ રહેવો ન જોઈએ.
એ જ રીતે ‘પ્રશ્નવ્યાકરણ' આગમની ટીકામાં -
'एतदपि च संयमस्योपबृंहणार्थमुपष्टम्भार्थं न परिग्रहसंज्ञया ' “ધર્મોપકરણો સંયમના ટેકા માટે, આધાર માટે ગ્રહણ કરાય છે, નહિ કે પરિગ્રહ સંજ્ઞાથી.’
એમ જણાવી વિહિત ધર્મોપકરણો રાખવાં એ પરિગ્રહ નથી એમ સ્પષ્ટપણે બતાવેલ છે.
એ જ રીતે અહીં શ્રી સૂયગડાંગ સૂત્રની આ જ ગાથાની વૃત્તિના પ્રાંત ભાગમાં પણ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે -
'परिग्रहाऽऽग्रह एव परमार्थतोऽनर्थमूलं भवति । '
‘તાત્ત્વિક રીતે પરિગ્રહનો આગ્રહ જ અનર્થનું મૂળ છે.'
હવે આગળ વધીને અજૈન ગ્રંથોમાં આવતી વાતો પણ ધ્યાનમાં લાવીને અજૈન વર્ગને પણ આ પરિગ્રહની ભયાનકતા અને વિવેકની મર્યાદા સમજાવવી છે.
‘જ્ઞાનસાર’માં પૂ. મહોપાધ્યાયજી મહારાજા જણાવે છે કે -
‘મુતિચ્છન્નધિવાં સર્વ, ખળવેવ પરિબ્રહ્મ: । मूर्च्छया रहितानां तु, जगदेवाऽपरिग्रहः ।।'
512
‘જેમની બુદ્ધિ મૂર્છા-મમતાથી ઢંકાયેલી હોય, તેમના માટે જગત આખું જ પરિગ્રહ છે. જેઓ મૂર્છા-મમતાથી રહિત છે, તેમને માટે પૂરું જગત જ અપરિગ્રહ છે.’ જૈનેતર ગ્રંથ ‘મહાભારત’માં પણ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org