________________
૨૩૧
–
૯ : પરિગ્રહની પાછળ થતી આત્માની પાયમાલી - 22
-
511
આગમગ્રંથોમાં ક્યાંય કહી છે ખરી ?
તેના અંગે પણ કેટલીક સ્પષ્ટતા કરવી જરૂરી છે.
જેઓ માત્ર મૂળ આગમને જ માનવાની વાત કરે છે, તેઓ પરમાત્માના શાસનની ઉજળી મર્યાદાને સમજ્યા જ નથી. જૈનશાસનની ઉજળી મર્યાદા સમજનાર એવું ક્યારેય ન કહી શકાય કે, મને માત્ર મૂળ આગમ જ માન્ય છે. જૈનશાસનમાં માત્ર મૂળ આગમ જ નહીં, પણ આગમ પંચાંગીને અને એની સાથે વિરોધ ન આવે તે રીતે મહાપુરુષોએ બનાવેલ અન્ય ગ્રંથોને પણ એટલા જ પ્રમાણભૂત માનવામાં આવ્યા છે. આગમ પંચાંગીમાં મૂળ આગમ-૧, તેનું ભાષ્ય-૨, નિર્યુક્તિ-૩, ચૂર્ણિ-૪ અને ટીકા-૫, એમ પાંચનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ પંચાંગીના આધારે કે એનાં વચનોનો ક્યાંય વિરોધ ન આવે તે રીતે બનાવેલ મહાપુરુષોના ગ્રંથો પણ એટલા જ પ્રમાણભૂત છે. માટે તો પૂ. આ. શ્રી ઉમાસ્વાતિજી મહારાજાના તત્ત્વાર્થાધિગમ સૂત્ર વગેરે અને પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા જેવા મહાપુરુષોના ગ્રંથોની સાક્ષીઓ ટાંકતાં અનેક મહાપુરુષોએ એ માટે ‘યલામ:' એમ કહી એને પણ આગમ જેટલું જ મહત્ત્વ આપ્યું છે. સંયમરક્ષા માટે રાખેલ તે પરિગ્રહ નથી :
આટલી સ્પષ્ટતા કર્યા પછી હવે તમને તમારા પ્રશ્નનો ઉત્તર આપું કે મૂળ આગમમાં પણ સંયમજીવનની સાધના માટે રખાતાં વસ્ત્ર-પાત્ર વગેરેને પરિગ્રહ નથી ગણાવ્યો.
“શ્રી દશવૈકાલિક સૂત્ર'ના છઠ્ઠા અધ્યયનમાં આ વાતને સ્પષ્ટ શબ્દોમાં રજુ કરતાં જણાવ્યું છે કે –
'जं वत्थं व पायं व, कंबलं पायपुच्छणं । तं पि संजमलजट्ठा, धारंति परिहरंति य ।।१९।। न सो परिग्गहो वुत्तो, नायपुत्तेण ताइणा । મુછી પરિષદો વૃત્તો, રૂ ૩ત્ત મસિT Fારના” સાધુ-સાધ્વી સંયમના પાલન માટે અને લજ્જાતા નિવારણ માટે જે પણ વસ્ત્ર, પાત્ર, કાંબળી કે પાદપૃચ્છન (આદિ ધર્મોપકરણ) રાખે છે કે પહેરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org