________________
૨૩૦
આતમ જાગો !
અને જે ચડાવો લે, તે પોતાનું પુસ્તક લાવી અર્પણ કરતા અને તેનું વાચન થતું ! વાચન પૂર્ણ થતાં એ ગ્રંથ પાછો એમને સોંપી દેવાતો. આ મર્યાદા હતી.
૨
આજે તો ચડાવો લેનાર ગૃહસ્થ, સાધુ પાસે જ પુસ્તક માંગે, સાધુ એને પુસ્તક આપે અને એનું એ પુસ્તક એ પાછું સાધુને અર્પણ કરે, વહોરાવે - આમ ઊલટી ગંગા વહે છે.
-
પુસ્તકોનો ઉપયોગ પણ સાધુએ આ મર્યાદામાં રહીને કરવાનો હતો. એના બદલે એનો પણ સંગ્રહ વધ્યો, એના ઉપર પણ માલિકી હક્ક થયો. એ કોઈ લઈ ન જાય એનો બીજો કોઈ ઉપયોગ ન કરે, એને ક્યાંય ઘસારો ન પડે, એની ચિંતા થઈ. પુસ્તક પડ્યું પડ્યું સડી જાય એ ચાલે પણ કોઈ લઈ જાય કે ઉપયોગ કરે, એ ન ચાલે. આ બધું પુસ્તકની મમતાનું પરિણામ છે. આવી મમતા એ જ પરિગ્રહનું સ્વરૂપ છે અને આવો પરિગ્રહ એ પણ બંધન છે. આમ છતાં દુ:ખની વાત છે કે, આ બંધન પણ ઘણાંને બંધન તરીકે ઓળખાતું નથી.
510
સભા : પુસ્તકની વાત તો સમજાઈ. પણ ગઈકાલે આપે કહ્યું હતું કે, ‘સાધુ સંયમ પાલન માટે વસ્ત્ર-પાત્ર રાખે તો તે પરિગ્રહ ન કહેવાય. એ વાત માટે કોઈ ગ્રંથોનો નહીં પણ આગમશાસ્ત્રોનો આધાર ખરો ?
પહેલી એક બે વાત સ્પષ્ટ કરીને પછી તમારા પ્રશ્નનો જવાબ આપું. સાધુ વસ્ત્ર-પાત્ર રાખે તો પણ તે પરિગ્રહ ન કહેવાય, એવું મેં નથી કહ્યું. મેં એમ કહ્યું છે કે, આગમાદિ ધર્મશાસ્ત્રમાં સંયમજીવનની સાધના માટે જે જે ઉપકરણો જે પ્રમાણમાં રાખવાની આજ્ઞા-અનુમતિ અપાઈ છે, તે ઉપકરણોને તેટલા જ પ્રમાણમાં રખાય તો તે પરિગ્રહ ન કહેવાય અને ઉપરાંત એ પણ વાત કરી હતી કે સંયમજીવનની સાધના માટે આગમાદિ ધર્મશાસ્ત્રોમાં દર્શાવેલ ઉપકરણોને તે શાસ્ત્રમાં બતાવેલ મર્યાદાનુસા૨ ૨ાખવામાં આવે અને તેના ઉપ૨ પણ જો મમત્વ-મૂર્છા ન હોય તો તે પરિગ્રહ ન બને. બાકી તો તે સંયમ સાધક ધર્મોપકરણો ઉપર પણ જો મમત્વ-મૂર્છા થાય તો તે પણ પરિગ્રહ બની જાય, બંધન બની જાય.
માત્ર મૂળને માનનારા શાસન બહાર : અહીં તો પંચાંગી જ પ્રમાણ છે
09
Jain Education International
તમારા પ્રશ્નનો બીજો મુદ્દો એ છે કે - સંયમજીવન માટે રખાતાં ઉપકરણો પરિગ્રહ ન કહેવાય, તેવી વાત અન્ય ધર્મગ્રંથોમાં ભલે કહી હોય પણ તે વાત
For Private & Personal Use Only
www.jainelibrary.org