________________
૨૨૯
-
૯ : પરિગ્રહની પાછળ થતી આત્માની પાયમાલી - 22
-
509
થોડો પણ પરિગ્રહ બંધનરૂપ જ ઃ
સભા : પોતાની આજીવિકા પૂરતો રાખ્યો હોય તો ? આજીવિકા પૂરતો તો હજુ ઘણો કહેવાય. ભગવાન તો કહે છે કે – 'किसामवि' - कृशमपि स्तोकमपि, तृणतुषादिकमपीत्यर्थः ।
અત્યંત નગણ્ય ગણાય તેવા તણખલાના છોડવા
વગેરે જેટલો પણ પરિગ્રહ બંધન છે.' શ્રાવકને જે પરિગ્રહ રાખવો પડ્યો હોય તેમાં પણ એ ઓછું કરતો જાય. વધારે તો નહીં જ; પણ જે છે તેમાંય ઘટાડતો જાય. માટે સમજો કે આજીવિકા પૂરતું પણ ધન વગેરેનો રાખવો તે પરિગ્રહ પણ બંધન તો ખરો જ. અમે પણ જો પુસ્તકનો સંગ્રહ કરીએ તો અમને પણ કહેવામાં આવ્યું કે તે પણ બંધન છે. સંસારીઓ માટે ધન-દોલત-ઘર વગેરે બંધન અને સાધુઓ માટે પુસ્તક, ઉપધિ, વસતિ, શિષ્ય અને ભક્ત વગેરે બંધન. જે જેનાથી બંધાય તે તેમના માટે બંધન. જે એનાથી અળગા રહે, તેને જ બંધન નહિ.
“ગરજ ગાંઠે અને વિદ્યા પાડે' - એ ઉક્તિ અનુસાર “વિધા પાડે” એ સ્થિતિ અમારી હોત તો અમને પુસ્તકની કોઈ જરૂર ન રહેત, પણ અમારી નબળાઈ છે કે, ગોખી શકતા નથી. ક્ષયોપશમની નબળાઈ છે કે યાદ રહેતું નથી, પુરુષાર્થની નબળાઈ છે કે પરાવર્તન થતું નથી, માટે પુસ્તકો રાખવાં પડે છે. પણ બંધન તો ખરું જ. એમાં પણ મર્યાદા હતી કે, સ્વાધ્યાય માટે જોઈતાં હોય તો ગૃહસ્થોએ લખાવેલાં તેમના ઘરમાં રાખેલાં હોય. તેમાંથી માંગીને લાવવાનું – વાપરવાનું અને પાછું આપવાનું.
જ્યારથી ક્ષયોપશમ ઘટ્યો અને ધૃતરક્ષા માટે પુસ્તકની આવશ્યકતા ઊભી થઈ, ત્યારથી પુસ્તક લેખન શરૂ થયું. પણ તે પુસ્તકો ગૃહસ્થના ઘરમાં રહેતાં. સંઘના કબજામાં રહેતાં. જ્યારે ગુરુભગવંત પધારે, ત્યારે શ્રાવકો કહેતા કે, ભગવંત ! અમારે ત્યાં આટલાં પુસ્તકો છે. આપને અભ્યાસ માટે જે જરૂર હોય તેનો લાભ આપવા કૃપા કરજો !” જરૂર મુજબ પુસ્તક મંગાવાતાં, ઉપયોગ કરીને પાછાં અપાતાં. એમાં ચાતુર્માસ વગેરે દરમ્યાન જ્યારે શ્રીસંઘ સમક્ષ વાચન કરવાનું હોય, ત્યારે અનેક પુણ્યાત્માઓ પોતાના પુસ્તકનું વાચન થાય, તે માટે વિનંતિ કરતા. એમાંથી કોને લાભ આપવો ? - તે માટે ચડાવો બોલાતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org