________________
૨૨૮
-
૨ - આતમ જાગો !
508
- એ સમજાવવા, પ્રતિષ્ઠિત કરવા શ્રી “નંદિસૂત્ર' આગમના આધારે ૧૨૦ પ્રવચનો કર્યા. જેમાં “સંબોધ પ્રકરણ' ગ્રંથનો પણ સહારો લીધો અને ભગવાનનો સંઘ કોને કહેવાય અને કોને ન કહેવાય, એ બધું જ ચોખ્ખું કર્યું અને લોકના હૃદયમાં પ્રગટેલો દીક્ષાધર્મ પ્રત્યેનો દ્વેષ-પ્રàષ દૂર કરી, દીક્ષાધર્મ પ્રત્યે પ્રીતિ-ભક્તિની પ્રતિષ્ઠા કરી, આખું જીવન એ માટે હોમવું પડવું તો હોમી દીધું. આ બધું પરિગ્રહ વગેરેના બંધનમાં ફસાયેલા જીવો પ્રત્યેની વિશિષ્ટ કોટિની ભાવકરુણાનું પરિણામ હતું. એમને ઉગારી લેવાની ઉત્કટ ભાવનાનું એ વિરાટ સર્જન હતું અને પ્રભુવીરે ઉપદેશેલા બંધન-મુક્તિના માર્ગની સુરક્ષા માટેનું એ મહાઅભિયાન હતું.
એનું જ એ પરિણામ આવ્યું કે, એમને સાંભળીને મડદાં જેવા આત્માઓ પણ ચેતનવંત બન્યા, મોહાંધ આત્માઓ પણ જાગૃત બન્યા. જ્યાં એકાદ દીક્ષા પણ દુર્લભ હતી, ત્યાં સંખ્યાબંધ દીક્ષાઓ એકસાથે એકસ્થળે થવા લાગી.
મસમોટા શ્રીમંતો અને ધીમંતો પણ પરિગ્રહનો ત્યાગ કરવા સજ્જ થયા અને એમના ચરણે જીવન સમર્પ સર્વવિરતિધર બન્યા.
જેમની ખુદની દીક્ષા કોઈએ નહોતી જાણી. એમણે જ દીક્ષાધર્મની એવી લહાણી કરી, એવી પ્રતિષ્ઠા કરી કે, જીવનના ઉત્તરાર્ધમાં એમની નિશ્રામાં થયેલી દીક્ષા પૂરા વિશ્વમાં ગાજી, એનો ડંકો દેશ-વિદેશમાં વાગ્યો.
મહાપરિગ્રહથી બંધાયેલા અકિંચન બન્યા, નિગ્રંથ બન્યા, અણગાર બન્યા, આ બધો પ્રભાવ પ્રભુવીરના સાચા સેનાની, અણનમ યોદ્ધા, જૈનશાસનના સાચા પ્રહરી એ પરમગુરુદેવનો હતો. આ કારણથી જ તેઓશ્રીમનું દીક્ષાયુગપ્રવર્તક’ વિશેષણ પ્રયોજાય છે. એનો અર્થ થાય છે –
દીક્ષા યુગનું પ્રવર્તન કરનારા સભા : (એક ભાઈએ નીતરતી આંખે પૂછ્યું કે, આવા મહાન ગુરુદેવ મળવા છતાં.
અમારા જીવનમાં જોઈએ તેવું પરિવર્તન કેમ ન આવ્યું ? અમારાં આ બંધન
ક્યારે છૂટશે ? જ્યાં સુધી પરિગ્રહ બંધન છે, એ નહિ સમજાય, નહિ મનાય ત્યાં સુધી આ પરિણામ નહિ આવે. એટલે કહું છું કે, પરિગ્રહ છોડવાની વાત પછી, પણ પહેલાં જાણો અને માનો કે “પરિગ્રહ બંધન છે.' સતત આ વિષયનું ચિંતન અને મનન કરો ! આજે નહિ તો કાલે આ સમ્યક પુરુષાર્થનું પરિણામ જરૂર આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org