________________
૨૨૭
-
૯ : પરિગ્રહની પાછળ થતી આત્માની પાયમાલી - 22
–
507
એમાં કોઈ ક્યારેય કોઈપણ જાતનું પરિવર્તન કરી શકે તેમ નથી. ગુરુદેવની પરમકરુણા :
આજે ખબર પડશે કે પરમતારક ગુરુદેવે આખી જીંદગી દીક્ષાની વાતો શા માટે કરી અને દીક્ષામાર્ગને ખુલ્લો કરવા જાનના જોખમે જીવનભર ભગીરથ પુરુષાર્થ શા માટે કર્યો ? આટલા પરીષહો-અપમાનો શા માટે વેક્યા ? જેને આ પરિગ્રહના બંધનોથી છૂટવું હતું, તેના પ્રત્યે પ્રગટેલી અપાર કરુણાનું એ પરિણામ હતું. જે પરિગ્રહનાં બંધન નહિ તોડે તે દુઃખથી મુક્ત નહિ બને. - એ પ્રભુવીરની વાણી તેઓશ્રીના હૈયે વસી હતી. તેથી જ તેઓશ્રી એવા વિચારોથી ભાવિત બન્યા હતા કે, જેઓને પરિગ્રહનું બંધન ઓળખાયું છે, જેને એ બંધન તોડવું છે, એ માટે જેઓ મારા શરણે આવ્યા છે, તેમને સાથ આપવો, આલંબન આપવું, શરણ અને સંરક્ષણ પૂરું પાડવું – એ ધર્મગુરુ તરીકે, પ્રભુવીરના એક વારસદાર તરીકે, મારું પરમ કર્તવ્ય છે, - એમ સમજીને એ મહાપુરુષે, શરણે આવેલાને સાથ આપ્યો, આવતાં આક્રમણો પોતાની જાત ઉપર ઝીલ્યાં, દીક્ષાધર્મનાં દાન કર્યા અને એ માટે જે પણ સહન કરવું પડે તે બધું જ સહન કર્યું.
એ માટે ગામે ગામ વિહર્યા, એ માટે અપમાન અને તિરસ્કારો પણ વેઠ્યા, એ માટે છાપાંઓ દ્વારા કરાતા અપપ્રચારોના ભોગ પણ બન્યા, એ માટે અનેકવાર કોર્ટના કઠેડામાં પણ ઉભા રહ્યા. એ માટે જ્યાં જવું પડે ત્યાં ગયા, જે વેઠવું પડ્યું તે વેક્યું, જે બોલવું પડે તે બોલ્યા, જે વાંચવું પડે તે વાંચ્યું. ટુંકમાં જે કાંઈ કરવું પડે તે બધું જ કર્યું.
એટલા જ માટે વિક્રમની ૧૯૮૫-૮૬ની સાલમાં મુંબઈ-લાલબાગની સભામાં, શ્રી આચારાંગ સૂત્રના “ધૂત’ નામના છઠ્ઠા અધ્યયનનું વાંચન કર્યું. ધૂત એટલે ધૂનન. ધોવું, ખંખેરવું, ઝાટકવું, હલાવવું, કર્મ અને કર્મથી પેદા થયેલ શરીર-સ્વજનાદિ બધી જ ઉપાધિઓને મૂળથી હલાવી ખંખેરી-સાફ કરી નાખવું એ ધૂત=ધૂનનનો અર્થ છે. એ વિષય ઉપર એકધારાં ૪૦૦/૪૦૦ પ્રવચનો કર્યા.
સંઘના નામે પોતાની જાતને ઓળખાવીને દીક્ષાના માર્ગનો વિરોધ-અવરોધ કરનારા આજ્ઞાનિરપેક્ષ, માર્ગનિરપેક્ષ પ્રભુના શાસનની સામે વિદ્રોહ પોકારનારાં એ ટોળાને ઉઘાડા પાડવા અને પ્રભુનો સાચો સંઘ કોને કહેવાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org