________________
૨ - આતમ જાગો ! ––
-
286
ક્ષણિકવાદી બૌદ્ધ મતની વાત રજૂ કરી તેનું ખંડન કર્યું છે.
૧૯ થી ૨૭ સુધીની ગાથામાં આ બધી વાતો કર્યા બાદ આ બધા મતોના પ્રવર્તકો અને એને અનુસરનારા જીવો કેવા અજ્ઞાન છે ? તેમણે “સંધિને એટલે કે આત્માને અને કર્મના સંબંધને જાણ્યો જ નથી. તેને તોડવાનો માર્ગ જાણ્યો જ નથી. એથી તેમનો મોક્ષ નહિ થાય, તેમના ભવભ્રમણનો અંત નહિ આવે, એઓ નિરંતર ભવમાં ભટક્યા જ કરશે અને દુઃખની પરંપરાનું સર્જન કરશે. એમના ગર્ભવાસનો, જન્મનો, મરણનો, દુઃખનો અંત નહિ આવે. એમ ભગવાને કહ્યું છે – એવું સુધર્માસ્વામીજી કહી રહ્યા છે. આમ આ અંગેની વાતો કરીને પહેલો ઉદ્દેશો પૂર્ણ કર્યો છે.
બીજા ઉદ્દેશામાં, નિયતિવાદ, અજ્ઞાનવાદ, વિનયવાદ અને બૌદ્ધમતની માન્યતાઓનું વર્ણન અને તેનું ખંડન કરવામાં આવ્યું છે.
ત્રીજા ઉદ્દેશામાં, આધાકર્મી આહાર-પાણી-વસ્ત્ર-પાત્ર લેવામાં આવે તો સાધુને કયા કયા દોષો લાગે છે; જે લોકો ઈશ્વરને જગત્કર્તા માને છે, તેઓની તે વાત કઈ રીતે ખોટી છે, દરેક મત મોક્ષની માન્યતા કઈ રીતે રજૂ કરે છે અને તે માન્યતા કેટલી ખોટી છે તે વાત કરી છે.
ચોથા ઉદ્દેશામાં, જેટલા પણ મિથ્યામતના સંન્યાસીઓ છે અને સ્વમતના પણ પાસસ્થા, અવસન્ના, કુશીલીયા, સંસક્તા અને યથાશૃંદા છે, તેનામાં અને ગૃહસ્થમાં તત્ત્વતઃ કોઈ તફાવત નથી – એમ જણાવ્યું છે.
આ વાત ગમે તેણે નથી કહી પણ ભગવાન પોતે કહી ગયા છે અને શ્રી. સૂયગડાંગ સૂત્રમાં લખાયેલી છે. આ વાતની વિચારણાના અનુસંધાનમાં અવિરતિનું સ્વરૂપ કેવું છે ? સમતા યોગ કેવી રીતે સાધવો ? કષાયોને કેવી રીતે જીતવા ? વગેરે આત્મોપયોગી વાતો આમાં કરવામાં આવી છે. આ રીતે ચોથો ઉદ્દેશો પૂર્ણ થતાં પ્રથમ અધ્યયન પૂર્ણ થાય છે.
પ્રથમ અધ્યયન અને પ્રથમ ઉદ્દેશાની આટલી ભૂમિકા કર્યા પછી હવે આપણે પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશાની શરૂઆત કરવી છે. એના પ્રારંભમાં આપણે પ્રથમ ગાથાના પ્રથમ પદની વિચારણા કરવી છે. સાધનાનો આદિ-મહામંત્રઃ “ક્સિ' બોધ પામ!:
એ મહામંગળકારી પદ છે - ”િ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org