SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૫ – ૯ઃ પરિગ્રહની પાછળ થતી આત્માની પાયમાલી - 22 – 505 ‘યોગશાસ્ત્રના આંતશ્લોક'માં જણાવ્યું છે કે – રાન-તસ્કર-તાલા-વદ્વિ-તોયfમમઃ | धनैकतानै-निभि-निशास्वपि न सुप्यते ।।' “રાજા, ચોર, દેવાદાર, અગ્નિ, પાણી આદિતા ઉપદ્રવોથી ડરેલા તેમજ ધનરક્ષામાં જ એકતાન બનેલા શ્રીમંતો રાત્રે સૂતા પણ નથી.' 'दुर्भिक्षे वा सुभिक्षे वा, वने जनपदेऽपि वा । शङ्काऽऽतङ्काकुलतया, धनी सर्वत्र दुःखितः ।।' "દુકાળ હોય કે સુકાળ, જંગલ હોય કે તગર, બધે જ શંકારૂપ આતંકથી આકુળ-વ્યાકુળ બનેલ શ્રીમંત દુઃખી જ હોય છે.' માટે જ કહ્યું છે કે, આ પૈસો - આ પરિગ્રહ એ આગ છે આગ, ભડભડ બળતી આગ, જીવતા જીવને બાળીને રાખ કરતી આગ, સમગ્ર જીવતરને અને આધ્યાત્મિક ચેતનાને ભસ્મસાત્ કરતો દાવાનળ. તેનાથી જે જાગે અને ભાગે તે જ બચે. બાકીનાનો તો ક્યાંય પત્તો ય નહિ લાગે. ભગવાનશ્રી મહાવીર પરમાત્માએ છેલ્લી ધર્મદેશનામાં ચાર પુરુષાર્થની વાત કરી. તેમાં પણ કહ્યું કે - અર્થવન્તો નામધેવાન પરમાર્થતા ' અર્થ એ કામ નામના જે પુરુષાર્થ છે. વાસ્તવિક રીતે તો અનર્થ કરનારા છે.' આજે કમનસીબે અર્થ અને કામ સેવવા જેવા છે. એવી આત્મઘાતક વાતો આર્યસંસ્કૃતિને નામે થઈ રહી છે. ભગવાન અર્થનો અનર્થકારી કહે અને અમે જો એને અર્થભૂત કહીએ તો એ અમારું પ્રબુદ્ધપણું ગણાય કે અબુધપણું ગણાય ? ભગવાન જે અર્થ-કામને નામના પુરુષાર્થ કહી છોડવા જેવા કહે, તે અર્થકામને અમે પુરુષાર્થ તરીકે ઓળખાવી સેવવા જેવા કહીએ તો એ અમારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy