________________
૨ ૨ ૨
૨ - આતમ જાગો !
–
502
મૂક્યા છે. એમાં પણ ન ચડી શકે તેને માટે સમ્યગ્દર્શનનાં દોરડાં નાંખ્યા છે. જે પણ એનો સહારો લેશે, તે તરશે, એનો સહારો નહિ લે તે ડુબશે. પરિગ્રહ અનેક ઉપમાઓથી ભયંકર : સભા શું આપ એમ કહેવા માંગો છો કે, જેને જેને સંસાર છોડવો હોય, તે બધાને
છોડવા જ દેવો. કોઈને રોકવા જ નહિ? ના, હું માત્ર એટલું જ નથી કહેતો કે, “જેને સંસાર છોડવો હોય તે બધાને છોડવા દેવો, કોઈને રોકવા નહિ.” પણ હું તો ઉપરથી એમ કહું છું કે - “જેને સંસાર નથી છોડવો - એમને પણ સંસારની વાસ્તવિકતા સમજાવી સંસાર છોડવાની પ્રેરણા કરવી અને એ પ્રેરણા જે પણ ઝીલે તે દરેકને સંસાર છોડવામાં દરેક રીતે સહાયક બનવું.'
મકાનમાં જ્યારે આગ લાગી હોય ત્યારે જે કોઈ બચવા માંગે, ભાગવા માંગે તેને તો ભાગવા જ દેવા, પણ જે ઊંઘમાં હોય અને ભાગવા ઈચ્છતા ન હોય તેને પણ જગાડવા, ભાગવાની પ્રેરણા કરવી અને એને ભાગવામાં જે રીતે સહાયક થવાય તે રીતે સહાયક થવું.
મકાનમાં આગ લાગી હોય, આખું મકાન ભડકે બળતું હોય, ત્યારે જેને પણ બચવું હોય તેને રોકવાનો પ્રયત્ન કરવો, એ તો કેટલું મોટું પાપ છે. તેમ પાપમય સંસારથી જે બચવા માંગે તે દરેકને બચાવવા એ અમારું તમારું સૌનું સહિયારું કામ છે. પણ આ બધું ત્યારે જ બને કે, જ્યારે સર્વત્ર બંધન, બંધનની અનુભૂતિ થાય, આખો સંસાર ભડકે બળતો લાગે.
જ્યાં સુધી આ પરિગ્રહ એ બંધન નહિ લાગે, એ ભડકે બળતી આગ જેવું નહિ લાગે, એ સાપનાં રાફડા જેવું નહિ લાગે ત્યાં સુધી એનાથી છૂટાશે નહિ.
જ્ઞાનીઓએ તો પરિગ્રહની દારૂણતા બતાવવામાં કાંઈ મણા રાખી નથી. - એમણે પરિગ્રહને સમુદ્રમાં ડૂબી રહેલા જહાજની ઉપમા આપી છે. જેમ મોટું પણ જહાજ એમાં રહેલા ભારથી ડૂબીને તળીયે જાય છે, તેમ આત્મા પરિગ્રહના ભારથી ભવસાગરમાં ડૂબી જાય છે.
- એમણે પરિગ્રહને વાવંટોળની સાથે સરખાવ્યો છે. વાવંટોળ જૂના, સ્થિર, દઢમૂળ વૃક્ષોને પણ ઉખેડી ફેંકી દે છે, તેમ પરિગ્રહ વૈરાગ્યાદિ ગુણોને ઉખેડી ફેંકી દે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org