SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૧ - ૯ : પરિગ્રહની પાછળ થતી આત્માની પાયમાલી - 22 - 501 તેમને સ્વીકાર્યા, નહિ તો ભગવાને કહ્યું હોત કે, “તમે જ્યાં છો ત્યાં બરાબર છો. તમારે આ બધું છોડવાની જરૂર નથી. કારણ કે, તમારે અત્યારે પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય પ્રવર્તે છે. એ પુણ્ય પણ પ્રકૃષ્ટ કોટિનું છે. ધનસંપત્તિ મેળવવા તમારે ક્યાંય પુરુષાર્થ પણ કરવાની જરૂર પડતી નથી. સીધે સીધી રોજ નવ્વાણું પેટી દેવલોકમાંથી ઊતરે છે. એનાથી થાય તેટલો દાનધર્મ કરો ! તમારે આ બધું છોડવાની જરૂર નથી' – પણ તેમને ભગવાને આવું કશું જ ન કહ્યું અને બધું જ છોડીને આવ્યા એટલે તરત દીક્ષા આપી. આ અંગે તમે વિચારો કે ભગવાને આવું કેમ કર્યું ? શાલિભદ્રની લક્ષ્મી એ પણ બંધન જ : સભા શાલિભદ્રને બંધન ક્યાં હતું ? બંધન તો હતું જ, પણ તે તમારા બંધન જેવું ઘાતક બંધન ન હતું. જો એ બંધન જ ન હોત તો જેટલો સમય સંસારમાં રહ્યા, તે ન રહ્યા હોત અને જ્યારે છોડવાનું નક્કી કર્યું, ત્યારે પણ રોજ એક એકનો ત્યાગ કરવાનું વિચાર્યું ન હોત. બત્રીસેય પત્ની વગેરેનો તેમણે એક ઝાટકે ત્યાગ ન કર્યો. માટે તો ધન્નાજીએ એમને કાયર કહ્યા અને એ સાંભળતાં જ એમનાં બંધન તૂટ્યાં. તેથી તે પછી બાકીનું બધું એક ઝાટકે છોડવા તૈયાર થયા. આ બધું વિચારશો તો સમજાશે કે, આ બધાં બંધનો કેટલાં ભારે હોય છે. સભા એટલે આપ એમ કહેવા માંગો છો કે, બધાએ સંસાર છોડી જ દેવો જોઈએ? હા, છોડી જ દેવો જોઈએ. એમાં પ્રશ્નને કોઈ અવકાશ જ નથી. આમ છતાં જેને લાગે કે, અમે બંધાયા છીએ, એને જ આ વાત ગમવાની છે. જેને લાગે કે, અમે ડુબીએ છીએ, એને જ આ વાત ગળે ઉતરવાની છે, બીજાને નહિ. સભા : શું નાનાં નાનાં છોકરાઓને પણ આ જ વાત લાગુ પડે ? હા, દરેકને માટે લાગુ પડે. નાનાં છોકરાં માટે પણ લાગુ પડે અને કિશોરો માટે પણ લાગુ પડે. યુવાનો માટે પણ લાગુ પડે અને પ્રૌઢો, વૃદ્ધો માટે પણ લાગુ પડે. સંસાર તો સાગર જેવો છે, જેમાં બધા જ ડુબી રહ્યા છે. કરુણાસાગર પ્રભુએ સૌને ઉગારી લેવા આ ધર્મ - શાસનરૂપ જહાજને વહેતું મૂક્યું છે. જે એમાં ન ચડી શકે, તેને માટે નાનાં નાનાં વ્રતો, નિયમોરૂપી હોડીઓ, તરાપાઓ તરતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy