________________
૨૨૦
૨ - આતમ જાગો !
–
500
સભા લક્ષ્મીનાં દેવી અને ડાકણ આ બે સ્વરૂપ કેવી રીતે ? લક્ષ્મી બે સ્વરૂપે આવે છે - એક ડાકણ સ્વરૂપે અને એક દેવી સ્વરૂપે.
ઉત્તમ દેવ-દેવીને બોલાવો ત્યારે જ એ આવે અને વિસર્જન કરો એટલે તરત જતાં રહે, તેઓ જ્યારે પણ આવે ત્યારે મુખ્ય દ્વારેથી એટલે કે સીધે રસ્તે આવે અને તે આવે એટલે વાતાવરણ પણ દિવ્ય બની જાય. ચારે બાજુ સુગંધ-સુગંધ પ્રસરી જાય. વાતાવરણમાં દિવ્યતાનો, સુખનો, શાંતિનો, સંપનો, આનંદનો અનુભવ થાય; જ્યારે ડાકણ વગેરે ભૂતડાં તો વગર બોલાવ્યું આવી જાય, પેસી જાય અને વળગી જાય. આવ્યા પછી એ સીધી રીતે ક્યારેય ન જાય. મોટે ભાગે જીવ લઈને જ જાય. એ ક્યારેય સીધા માર્ગે ન આવે, પાછલા બારણે જ આવે અને આવે એટલે અશાંતિ ફેલાય અને પૂરા ઘરનું વાતાવરણ અજંપાવાળું વિદ્વેષવાળું, બની જાય.
હવે તમે તમારા ઘરની પરિસ્થિતિ જોઈને કહો કે, તમારા ઘરમાં આવેલી લક્ષ્મી એ દેવીના સ્વરૂપે આવી છે કે ડાકણના સ્વરૂપે ? તમારા ઘરમાં જે પણ લક્ષ્મી આવી છે, તે સીધે રસ્તે આવી છે કે આડે રસ્તે ?
લક્ષ્મી જો દેવી સ્વરૂપે આવે તો ઘરમાં પરસ્પરનો સંપ, નિરવ શાંતિ, ઉત્તમ વિચારો, વડીલોનો વિનય, દેવ-ગુરુની ભક્તિ, ઉત્તમ માર્ગે વાપરવાના મનોરથો થાય અને ઈચ્છા કરો ત્યારે એ સહેલાઈથી છૂટી જાય. પણ જો લક્ષ્મી ડાકણના સ્વરૂપે ઘરમાં આવે તો ઘરમાં અશાંતિ, અજંપો, કુસંપ, ફ્લેશ, કંકાસ, ખોટા વિચારો, ખોટા માર્ગે વાપરવાનાં જ વિચારો આવે. સારા માર્ગે સારી રીતે વાપરવાનું કે છોડવાનું મન ન થાય અને છેલ્લે જીવ લઈને જાય. તમારો વળગાડ ઉતરે તેમ છે ? તમને પૂછું છું ?
ધન્ના-શાલિભદ્રને ત્યાં લક્ષ્મી, દેવી સ્વરૂપે આવી તો તેઓએ તેને ભોગવી પણ જાણી અને છોડી પણ જાણી.
જ્યારે મમ્મણને ત્યાં લક્ષ્મી, ડાકણ સ્વરૂપે આવી તો તે તેને ભોગવી પણ ન શક્યો ને છોડી પણ ન શક્યો. એ એનો જીવ લઈને ગઈ અને એને સાતમી નરકે ઘસડી ગઈ.
આમ છતાં ભગવાન કહે છે, શાલિભદ્રની લક્ષ્મી તે પણ પરિગ્રહ અને તે પણ બંધન. માટે જ તેમણે છોડી અને એ છોડીને આવ્યા ત્યારે જ ભગવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org