SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૯ - ૯ : પરિગ્રહની પાછળ થતી આત્માની પાયમાલી - 22 - 499 એને માટે તમારે આરંભ-સમારંભથી લઈને કેટકેટલાં પાપ કરવાં પડે છે ? એના પરિણામનો ક્યારેય વિચાર કર્યો છે ખરો ? બહુ ગંભીરપણે વિચારશો તો તમને એક દિવસ આ ધંધો કરવાનું મન નહિ થાય” વગેરે કહ્યું અને એ પછી એઓ જ્યારે જ્યારે આવતા ત્યારે ત્યારે પરમતારક ગુરુદેવશ્રી આ વાતની ફરી ફરી ઉઘરાણી કરતા. સભા: મહેનત કરવી ન પડે અને લક્ષ્મી આવ્યા જ કરે તો વાપરવી સારી કે ધંધો બંધ કરવો સારો ? ઘરમાં કચરો આવે ત્યારે તો કાઢવાની જ મહેનત કરવાની હોય પણ પહેલા નંબરે તો ઘરમાં કચરો ન આવે તે માટેનો જ પ્રયત્ન હોય ને ? સભાઃ લક્ષ્મી કચરો છે ? તો શું એ સોનું છે ? એક વાત નોંધી લો કે, આ લક્ષ્મી એ માત્ર કચરો જ નથી, એ આગ પણ છે. કેટલાયના જીવનમાં એણે આગ લગાડી દીધી છે. કલિકાલસર્વજ્ઞશ્રીજી તો પરિગ્રહની આશાને રાક્ષસી કહે છે અને તૃષ્ણાને પિશાચીની ઉપમા આપે છે. જે દિવસે તમને આ સમજાશે તે દિવસે તમારા જીવનમાં સોનાનો સૂરજ ઉગ્યો એમ માનજો. લક્ષ્મીનાં બે રૂપઃ એક દેવી – બીજી ડાકણ : સભા શું લક્ષ્મી આવે એટલે એકાંતે અહિત જ કરે ? હું કોઈપણ વાત એકાંતે નથી કહેતો. જે વસ્તુ મોટે ભાગે બને છે, તે કહું છું. બાકીનો આધાર તો જીવની લાયકાત અને એના પુણ્યના પ્રકાર ઉપર રાખે છે. જેનો પાપાનુબંધી પુણ્યોદય હોય તેને ત્યાં આવેલી લક્ષ્મીથી એનું અહિત થાય અને જેનો પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય હોય તેને ત્યાં આવેલી લક્ષ્મીથી એનું અહિત ન થાય. કારણ કે, પાપાનુબંધી પુણ્યની આવનાર લક્ષ્મી ડાકણના રૂપે આવે છે; જ્યારે પુણ્યાનુબંધી પુણ્યના ઉદયી આવનાર લક્ષ્મી દેવીના રૂપે આવે છે. આમ છતાં એ બન્નેમાંથી કોઈ પણ પ્રકારે આવેલ લક્ષ્મી જ્યાં સુધી હોય ત્યાં સુધી ગણાય તો બંધન જ. એક લોઢાનું અને એક સોનાનું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy